સરકાર સાથેની વાતચીતને લઈને જાણો શું કહ્યુ રાકેશ ટીકૈત ?

Published on: 11:06 am, Mon, 12 April 21

ખેડૂત આંદોલનનો મુખ્ય શહેરો રાકેશ ટીકૈત કહ્યું કે ત્રણ કૃષિ કાયદાને લઈને સરકાર આમંત્રણ આપશે તો અમે વાત કરીશું પણ વાત જ્યાં અટકી હતી ત્યાંથી જ શરુ થશે. તેઓએ કહ્યું કે સરકાર સંયુક્ત કિસાન મોરચા ને લઈને વાતચીત માટે આમંત્રણ મોકલશે તો તેની પર વિચાર કરવામાં આવશે.

સરકાર સાથે વાતચીત ત્યાંથી જ શરુ કરાશે જ્યાં 22 જાન્યુઆરી એ અટકી હતી.ત્રણ કૃષિ કાયદા ની વાપસી, એમએસપી ને માટેના કાયદા પર વાત થશે. ખેડૂતોના મુદ્દા એ જ રહેશે.

અને આ વાત પર રાકેશ ટીકૈત કેન્દ્ર સરકારના કૃષિ મંત્રી ની તરફથી આવેલા જવાબમાં કહ્યું છે. રવિવારે રાકેશ ટીકૈત સિંધુ બોર્ડર પર આયોજિત સર્વ ખાપ પંચાયત માં ભાગ લેવા પહોંચ્યા હતા.

તેઓએ કહ્યું કે 14 એપ્રિલ બાબાસાહેબ ભીમરાવ આંબેડકર ના જન્મદિવસે ખેડૂતોનો મોરચો સંવિધાન બચાવો દિવસ ઊજવશે. આ પહેલા 13 એપ્રિલે આંદોલનના દરેક મોરચા પર ખાલસા પંથની સ્થાપના દિવસ મનાવાશે અને જલિયાવાલા બાગ કાંડ ની વર્શી પર શહીદોને યાદ કરાશે.

કૃષિ મંત્રી ના નિવેદન પર રાકેશ ટીકૈત કહ્યું કે સરકાર 22 જાન્યુઆરી થી પહેલા સંયુક્ત કિસાન મોરચાના ને વાતોનું આમંત્રણ મોકલતી રહી છે અને તે રીતે આમંત્રણ મોકલશે તો વાત થશે.

પણ આ વાતચીત ત્યાંથી જ શરુ થશે જ્યા અટકી હતી અને વાતચીતના મુદ્દા પહેલા હતા તે જ રહેશે. ઉલ્લેખનીય છે કે 26 નવેમ્બર 2020 થી દિલ્હી ની સીમા પર પંજાબ, હરિયાણા, પશ્ચિમી ઉત્તર ના ખેડૂતો હજુ સુધી આંદોલન કરી રહ્યા છે.

3 કૃષિ કાયદાની સાથે એમએસપીની ગેરંટી ની માંગ પર પણ ખેડૂતો દિલ્હી સીમા પર લગભગ સાડા ચાર મહિનાથી બેઠા છે પણ કોઈ સુનાવણી થઇ નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સરકાર સાથેની વાતચીતને લઈને જાણો શું કહ્યુ રાકેશ ટીકૈત ?"

Leave a comment

Your email address will not be published.


*