31 ડિસેમ્બરે રાત્રી કર્ફ્યુ ને લઈને જાણો ગુજરાત પોલીસે શું લીધો મહત્વનો નિર્ણય.

Published on: 3:35 pm, Wed, 23 December 20

કોરોનાની મહામારી વચ્ચે 31 ડિસેમ્બરની ઉજવણી લઈને પોલીસ તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોનાની મહામારી વચ્ચે ૩૧ ડિસેમ્બરની ઉજવણી ને લગતી બહાર પાડવામાં આવશે નહીં અને ચાર શહેરોમાં જે રાત્રી કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યું છે તે 31 ડિસેમ્બર સુધી યથાવત રહેશે. રાજ્યમાં હાલ અનલૉક 5 ની માર્ગદર્શિકા મુજબ છૂટછાટ આપવામાં આવી રહી છે પરંતુ દિવાળીના તહેવાર પછી ચાર મહાનગરોમાં.

કોરોના કેસમાં વધારો થતા રાત્રી કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યું હતું.રાત્રિ કરફ્યુ ના કારણે આ ચાર મહાનગરોમાં ૩૧ ડિસેમ્બરની ઉજવણી કરી શકાશે નહીં તેથી રાજ્ય પોલીસ વડા દ્વારા તમામ શહેરોના પોલીસ કમિશનર અને ગ્રામ્ય પોલીસ અધિક્ષકને માહિતી આપવામાં આવી હતી.

કે પોલીસ દ્વારા શહેરની તમામ ક્લબો અને ફાર્મહાઉસ પર નજર રાખવામાં આવે. કર્ફ્યુ લાગુ થશે તે ચાર શહેરોમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને તંત્ર બાંધછોડ કરવા માટે તૈયાર નથી. જે શહેરોમાં રાત્રી કરફ્યુ નથી.

તે શહેરોમાં લોકો મોટી સંખ્યામાં એકઠા થઈને 31 ડિસેમ્બરની ઉજવણી ન કરે તેનું પણ ધ્યાન રાખવાના આદેશ આપવામાં આવ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "31 ડિસેમ્બરે રાત્રી કર્ફ્યુ ને લઈને જાણો ગુજરાત પોલીસે શું લીધો મહત્વનો નિર્ણય."

Leave a comment

Your email address will not be published.


*