કોરોના વાયરસનું સંક્રમણ વધતા કાંકરિયા લેકફ્રન્ટ ને લઈને આવ્યા મહત્વના સમાચાર,જાણો.

Published on: 6:15 pm, Wed, 17 March 21

અમદાવાદ શહેરમાં સતત વધતા જતા કોરોના કેસ ને કારણે મહાનગરપાલિકા એ અત્યંત મહત્વનો નિર્ણય લીધો છે. અમદાવાદ શહેરના તમામ બગીચા કાંકરિયા લેકફ્રન્ટ તેમજ પ્રાણીસંગ્રહાલય આજથી અચોક્કસ મુદત માટે કોર્પોરેશન દ્વારા બંધ કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

મંગળવારના રોજ 241 કોરોના ના કેસ નોંધાયા હતા અને ઉપરાંત બે દર્દીઓના મોત થયા હતા. એક વર્ષ દરમિયાન ફૂલ 60992 કોરોનાવાયરસ ના કેસ નોંધાવા પામ્યા છે.

હાલમાં અમદાવાદ શહેરમાં કોરોના ના કુલ 587 એક્ટિવ કેસ હોવાનું સત્તાવાર સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. આ અંગે મળતી માહિતી મુજબ સોમવારના રોજ શહેરમાં કોરોના ના કુલ 205 કેસ નોંધાયા હતા.

અને મંગળવારના રોજ નવા 241 કેસ નોંધાતા શહેરમાં ગત વર્ષે અત્યાર સુધીમાં કોરોનાવાયરસ ના 60 હજારથી વધારે કેસ નોંધાયા છે. મંગળવારે કુલ 146 દર્દીઓ સાજા થતા અત્યાર સુધીમાં કુલ 58043 લોકો કોરોનાવાયરસ થી મુક્ત થયા છે.

મંગળવારના રોજ એટલે કે ગઈકાલે બે કોરોના સંક્રમિત દર્દીના મૃત્યુ થયા હતા અને અત્યાર સુધીમાં શહેરમાં 2269 લોકોના મોત થયા છે અને નોંધપાત્ર બાબત એ છે કે.

અમદાવાદ શહેરમાં એક્ટિવ કેસો ની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. સોમવારે અમદાવાદ શહેરમાં કુલ 530 એક્ટિવ કેસ હતા જયારે મંગળવારે આ સંખ્યા વધીને 587 ઉપર પહોંચવા પામી હોવાનું મ્યુનિસિપલ સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "કોરોના વાયરસનું સંક્રમણ વધતા કાંકરિયા લેકફ્રન્ટ ને લઈને આવ્યા મહત્વના સમાચાર,જાણો."

Leave a comment

Your email address will not be published.


*