રાજ્યના ચાર મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ ને લઈને લેવાયો મહત્વનો નિર્ણય, જાણો.

Published on: 8:44 pm, Tue, 30 March 21

ગુજરાતમાં ફરી કોરોના કેસો વધતા રાજ્યના ચાર મહાનગરોમાં સરકાર દ્વારા રાત્રી કરફ્યુ લંબાવવામાં આવ્યો છે.રાજ્યના ચાર મહાનગરો જેવા કે,અમદાવાદ,વડોદરા,રાજકોટ,સુરત માં રાત્રી કરફ્યુ ને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે.

તમને જણાવી દઇએ કે,મહાનગરોમાં રાત્રી કરફ્યુ 31 જાન્યુઆરી સુધી રખાયો હતો જે હવે આગામી તારીખ 15 એપ્રિલ સુધી રાખવામાં આવશે.

આજ રોજ મંગળવારના છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોરોના વધુ નવા 2220 નવા કેસો સામે આવ્યા છે.જ્યારે નવા 10 લોકોના મોત થતા રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4510 એ પહોંચ્યો છે.

આજ રોજ ગુજરાત રાજ્યમાં વધુ 1988 દર્દીઓ સાજા થયા છે તો ફૂલ 2,88,565 દર્દીઓ કોરોના ને માત આપી ચૂક્યા છે જ્યારે રાજ્યમાં સાજા થવાનો દર 94.51 ટકા છે.

ગુજરાત રાજ્યમાં હાલમાં કુલ 12,263 એક્ટિવ કેશો છે તો વેન્ટિલેટર પર 147 દર્દીઓ છે જ્યારે 12113 દર્દીઓ હાલમાં સ્ટેબ્લ છે. રાજ્યમાં ડિસ્ચાર્જ કરવામાં આવેલા દર્દીઓની સંખ્યા 2,88,565 છે.

તો કુલ મૃત્યુ આંખ 4510 એ પહોંચ્યો છે. આજરોજ નોંધાયેલા નવાજ દર્દીઓના મોત માં અમદાવાદમાં 5 અને સુરતમાં 4 અને વડોદરામાં 1 એમ ફૂલ દર્દીઓને આજરોજ મોત થયા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "રાજ્યના ચાર મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ ને લઈને લેવાયો મહત્વનો નિર્ણય, જાણો."

Leave a comment

Your email address will not be published.


*