કોરોના મહામારી વચ્ચે ખેડૂતોને મળી સૌથી મોટી રાહત, જાણો.

Published on: 4:12 pm, Fri, 9 April 21

કોરોના મહામારી વચ્ચે ખાતરનો ભાવ વધારો થતાં ખેડૂતોને પડયા પર પાટું જેવો હાલ થયા હતા ત્યારે હવે ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે.હાલ રાસાયણિક ખાતરના ભાવમાં નહીં કરાય કોઈ વધારો ખાતર ના ભાવ છે.

તે સ્થિર રહેશે.ખાતર કંપનીઓના રાસાયણિક ખાતરના ભાવમાં વધારો કરવા અંગે ની જાહેરાત બાદ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા નું નિવેદન સામે આવ્યું છે.તેમને કહ્યુ કે ખેડૂતોને હાલ જૂના ભાવ જ ખાતર આપવામાં આવશે.

રાસાયણિક ખાતરના ભાવમાં વધારો ઝીંકાયો હતો. ગઈકાલે કૃષિમંત્રી આર.સી.ફળદુ એ કેન્દ્રીય કૃષિ મંત્રી સાથે આ અંગે વીડીયો કોન્ફરન્સથી વાતચીત કરવાની વાત કરી હતી

ત્યારે આજે આ અંગે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અંગે મોટી જાહેરાત કરીને ખેડૂતોને સારા સમાચાર આપ્યા છે. મનસુખ માંડવિયાએ કહ્યું કે, હાલ ખાતરના ભાવમાં વધારો નહીં થાય અને જૂના ભાવે જ મળશે.

વર્તમાન કોરોના ની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.ખેડૂતોને ખાતરની થેલી 1200 મળે તેવી રજૂઆત કૃષિ વિભાગે કરી હતી.

દિલીપ સખીયાએ ભાવ વધારાને પરત લેવા માંગ કરી હતી. આ અંગે ખેડૂત આગેવાન જયેશ ડેલાટે પરસોતમ રૂપાલા ને પણ પત્ર લખ્યો હતો અને ખેડૂતો દ્વારા સતત ખાતરના ભાવ વધારો પરત ખેંચવા માંગ કરવામાં આવી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "કોરોના મહામારી વચ્ચે ખેડૂતોને મળી સૌથી મોટી રાહત, જાણો."

Leave a comment

Your email address will not be published.


*