લગ્નમાં કેટલા લોકો લાવવા અંગે જાણો હાઈકોર્ટે સરકારને શું કરી ટકોર.

Published on: 3:34 pm, Mon, 12 April 21

ગુજરાતમાં કોરોના ની ગંભીર પરિસ્થિતિને ગંભીરતાથી લઈને આજ રોજ ગુજરાત હાઇકોર્ટે સરકારની ઝાટકણી કાઢી છે. કોરોના મામલે કાળજી રાખવામાં ગુજરાત સરકાર ક્યાંય ને ક્યાંય કાચી પડે તે મુદ્દે હાઇકોર્ટે સરકાર પર આકરા તેવર બતાવ્યા હતા.

હાઈ કોર્ટે અનેક મુદ્દે ટકોર કરી છે અને સાથે જ કહ્યું કે, ઓક્ટોબર મહિના સુધી કોરોના કાબૂમાં હતો તો પછી કોરોના ની આવી સ્થિતિ આવી ગઈ તો કેમ સરકાર અજાણ રહી. સાથે જ હાઈકોર્ટે સરકારને જાહેર મેળાવડા બંધ કરવા સૂચન કર્યું છે.

લગ્ન અને મરણ જેવા પ્રસંગોમાં 50 લોકો ની મંજૂરી ની વાત કોર્ટ દ્વારા રાજ્ય સરકારને કરવામાં આવી છે.હાઈકોર્ટે સરકારને સૂચન કર્યું છે કે, લગ્ન પ્રસંગ અને મરણ સિવાયના તમામ કાર્યક્રમમાં પ્રતિબંધ લગાવવો જોઈએ.

જે 100 માણસ ની પરમિશન લગ્ન પ્રસંગમાં આપી છે તેનો ઘટાડો કરો. સાથે જ કોર્પોરેટ સેક્ટર અને પ્રાઇવેટ સેક્ટરમાં પણ સ્ટાફનો ઘટાડો કરો.હાઇકોર્ટ ચૂંટણી પ્રક્રિયા પર ટકોર કરીને કહ્યું કે, ચૂંટણી માટે બુથ વાઈઝ આંકડા અને સોસાયટી હોય છે.

તમારી પાસે એ આયોજન કેમ કામે ના લગાડી શકાય?બુથ વાઈઝ કામગીરી કરો અને કર્ફ્યુનો અમલ નથી થતો. વહેલી સવારે લોકો રસ્તા પર જોવા મળે છે.

માસ્ક અને સામાજિક અંતર નું પાલનપુર નથી થતું. જે લોકો સ્વયંભૂ બંધ પાળે છે તે લોકો બીજા બધા કરતાં ઘણાં હોશિયાર છે.

સુનાવણીમાં સરકાર અને હાઈકોર્ટ અનેક મુદ્દે પોત પોતાનો પક્ષ મૂક્યા બાદ નિર્ણય લેવામાં આવ્યો કે, સુઓમોટો અંગે વધુ સુનાવણી 15 એપ્રિલ ના રોજ હાથ ધરાશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "લગ્નમાં કેટલા લોકો લાવવા અંગે જાણો હાઈકોર્ટે સરકારને શું કરી ટકોર."

Leave a comment

Your email address will not be published.


*