શાળાઓમાં પરીક્ષાના આયોજનને લઇને જાણો શિક્ષણ વિભાગે શું આપી મંજૂરી?

Published on: 4:00 pm, Thu, 11 February 21

કોરોના મહામારી ના કારણે સમગ્ર દેશમાં શિક્ષણ તંત્ર અને સત્ર બધું જ ડામાડોળ છે. ફેબ્રુઆરી મહિનાથી તબક્કાવાર શાળાઓ શરૂ કરવામાં આવી છે. ત્યાં સુધી તમામ શિક્ષણ ઓનલાઇન ચાલી રહ્યુ હતુ અને કસોટીઓ પણ ઓનલાઇન લેવામાં આવી હતી.

તેવામાં હવે શાળાઓ શરૂ થતા કસોટીનું આયોજન કરવા દેવા માટે શાળાઓ દ્વારા શિક્ષણ મંત્રીને રજૂઆત કરવામાં આવી હતી.શાળાઓની દલીલ હતી કે જ્યારે પ્રમોશનની સરકાર દ્વારા મનાઇ કરવામાં આવી છે.

ત્યારે વિદ્યાર્થીઓના અભ્યાસ ની ચકાસણી માટે ઓફલાઇન પરીક્ષાનું આયોજન કરવું ખૂબ જરૂરી છે. જે માંગને સ્વીકારતા રાજ્ય સરકારે પરીક્ષા યોજવાની મંજુરી આપી હતી. રાજ્યની પ્રાથમિક શાળાઓમાં.

ધોરણ 3 થી 8 માં સામાયિક કસોટી 25 ફેબ્રુઆરીથી 27 ફેબ્રુઆરી દરમિયાન યોજવા માટે મંજૂરી આપી છે.ધોરણ ત્રણ માં ગુજરાતી અને ગણિત, ધોરણ ચાર અને પાંચમાં અંગ્રેજી અને હિન્દી.

તેમજ ધોરણ 6 થી 8 માં અંગ્રેજી,સંસ્કૃત અને હિન્દી વિષય ની કસોટી યોજી શકાશે.શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવેલા પરિપત્રમાં કસોટી માટેનો અભ્યાસક્રમ પણ નક્કી કરવામાં આવ્યો છે.

સ્વનિર્ભર અને અનુદાનિત શાળાઓમાં ચાર વિષય ઉપરાંત જે વિષયો છે તે સ્વૈચ્છિક રીતે તેની કસોટી લઇ શકાશે તેવી જાહેરાત રાજ્યના શિક્ષણ મંત્રી દ્વારા કરવામાં આવી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "શાળાઓમાં પરીક્ષાના આયોજનને લઇને જાણો શિક્ષણ વિભાગે શું આપી મંજૂરી?"

Leave a comment

Your email address will not be published.


*