રાજકોટ શહેરમાં પિતાએ પોતાના દીકરાનો જીવ લઈ લીધો, જીવ લેવાનું કારણ જાણીને ચોંકી જશો…

Published on: 3:10 pm, Tue, 19 April 22

રાજકોટમાં છેલ્લા થોડાક દિવસોથી જીવી લેવાની ઘટનાઓ, જીવન ટૂંકાવવાની ઘટનાઓ અને અકસ્માતની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. ત્યારે રાજકોટમાં કુવાડવા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અમરગઢ ભીચારી ગામમાં એક પિતાએ પોતાના દીકરાનો જીવ લઈ લીધો છે.

આ ઘટના બનતાં ભારે અફરાતફરી મચી ગઇ હતી. મળતી માહિતી મુજબ અજીત નામનો યુવક પોતાની વાડીએથી ઘરે પત્નીને બોલાવવા માટે આવ્યો હતો. અજીત ની પત્ની દરવાજો બંધ કરીને રૂમમાં સુઈ ગઈ હતી. જેથી અજીતે રૂમનો દરવાજો ખખડાવ્યો હતો.

આ દરમિયાન અજીતના પિતા રાજુભાઇ ઓસરીમાં સૂતાં હતાં. દરવાજો ખખડાવવાના કારણે અજીતના પિતા રાજુભાઇ જાગી જાય છે. રાજુભાઈ અજીતને કહે છે કે, શું બેકારો કરો છો? કહીને માથાકૂટ કરી હતી. આ દરમિયાન અજીત પોતાના પિતાને કહે છે કે, હું મારી પત્નીને કહું છું, તમે વચ્ચે ના બોલો.

આ દરમિયાન અજીતના પિતા રાજુભાઇ ધારદાર વસ્તુ વડે અજીતનો જીવ લઇ લે છે. આ ઘટનામાં વચ્ચે પડેલી અજીતની પત્ની અને અજીતની માતાને ઇજા પહોંચી હતી. સમગ્ર ઘટના બન્યા બાદ રાજુભાઈ ઘટનાસ્થળેથી ભાગી ગયા હતા.

મોડી રાત્રે ક્રાઇમ બ્રાન્ચની ટીમે રાજુભાઈને ઝડપી પાડયા હતા. અજીતની પત્ની ભારતીની ફરિયાદના આધારે પોલીસે સસરા રાજુભાઈ ની સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના બનતા જ પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "રાજકોટ શહેરમાં પિતાએ પોતાના દીકરાનો જીવ લઈ લીધો, જીવ લેવાનું કારણ જાણીને ચોંકી જશો…"

Leave a comment

Your email address will not be published.


*