સુરતમાં 13 વર્ષની દીકરીને મૂકીને પપ્પા દુનિયા છોડીને ચાલ્યા ગયા, દીકરીએ પપ્પાને યાદ કરતા એવું કહ્યું કે… સાંભળીને તમે પણ ભાવુક થઈ જશો…

Published on: 6:11 pm, Fri, 18 November 22

મિત્રો અંગદાનનું નામ આવે એટલે સુરતનું નામ પહેલા આવે છે. ત્યારે અંગદાન તરીકે ખ્યાતિ મેળવતા સુરતમાં વધુ એક અંગદાનનો કિસ્સો સામે આવ્યો છે. એક વ્યક્તિના મૃત્યુ બાદ પરિવારજનોએ અંગદાન કરીને સમાજમાં માનવતાની મહેક ફેલાવી છે. મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ જતીન વસંતલાલ કંસારા હતું અને તેમની ઉંમર 47 વર્ષની હતી. તેઓ 2 નવેમ્બર ના રોજ તેમના વેપારીને ત્યાં સાંજે 7:00 વાગ્યાની આસપાસ ગયા હતા.

ત્યારે જતીનભાઈને અચાનક જ ચક્કર આવવા લાગ્યા હતા અને તેમને વોમેટ થવા લાગી હતી. અચાનક જતીનભાઈની તબિયત બગડતા તેમને તાત્કાલિક નવસારીની કેજલ લાઈફઇન મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પીટલમાં લઈ જવામાં આવ્યા હતા. અહીં ફિઝિશિયન ડોક્ટર ધર્મેશ પટેલની સારવાર હેઠળ દાખલ કરી નિદાન માટે CT સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ તેમજ મગજમાં રક્તની ગાંઠો અને સોજા હોવાનું નિદાન થયું હતું.

ત્યારબાદ સર્જરી કરીને જતીનભાઈના મગજના સોજા દૂર કરવામાં આવ્યા હતા. 16 નવેમ્બરના રોજ જતીનભાઈના મિત્ર ડોનેટ લાઈફ નો સંપર્ક કરીને જણાવ્યું કે, જતીન ભાઈના પરિવારજનો અંગદાનની પ્રક્રિયા સમજાવવા માંગે છે. ત્યારબાદ ડોનેટ લાઇફની ટીમે જતીનભાઈના પરિવારજનોને અંગદાન નું મહત્વ અને અંગદાનની પ્રક્રિયા સમજાવી હતી.

અંગદાન ની પ્રક્રિયા સમજાવતા કહ્યું કે જે વ્યક્તિનું બ્રેઇનડેડ હોય તેમના જ અંગનું દાન થઈ શકે છે. નવસારીની હોસ્પિટલમાં જતીનભાઈની તબિયત બગડતા પરિવારજનોએ તેમને સુરતની કિરણ હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવાનો નિર્ણય કર્યો હતો. મોડી રાત્રે કિરણ હોસ્પિટલ ની ડોક્ટરોની ટીમ નવસારીની હોસ્પિટલમાં પહોંચી હતી. ત્યારબાદ જતીનભાઈ સુરતની કિરણ હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.

17 નવેમ્બરના રોજ ન્યુરોસર્જન ડૉ.ભૌમિક ઠાકોર, ડો.ધીરેન હાડા, ન્યુરોફીજીશિયન ડૉ.હીના ફળદુ, ઇન્ટેન્ટસીવીસ્ટ ડો. દર્શન ત્રિવેદી અને મેડિકલ ડાયરેક્ટર ડૉ.મેહુલ પંચાલે જતીનભાઈને બ્રેનડેડ જાહેર કરતાં કિડની અને લિવરના દાન માટે SOTTO નો સંપર્ક કરવામાં આવ્યો. જતીનભાઈ ના મૃત્યુના કારણે 13 વર્ષની દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી છે.

જતીનભાઈની 13 વર્ષની દીકરી તેની મમ્મીને જ્યારે કહે છે કે, પપ્પા ત્રણ વ્યક્તિને નવું જીવન આપવા જઈ રહ્યા છે, તારે જરાક પણ રડવાની જરૂર નથી. ત્યારબાદ દીકરી પોતાના પપ્પાના કાનમાં કહે છે કે, પપ્પા તમે મમ્મીને ચિંતા જરાય ન કરશો. આ દ્રશ્યો જોઈને હોસ્પિટલમાં હાજર તમામ લોકો રડી પડ્યા હતા. જતીનભાઈના પરિવાર કિડની અને લીવરનું દાન કરીને ત્રણ લોકોને નવું જીવનદાન આપ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સુરતમાં 13 વર્ષની દીકરીને મૂકીને પપ્પા દુનિયા છોડીને ચાલ્યા ગયા, દીકરીએ પપ્પાને યાદ કરતા એવું કહ્યું કે… સાંભળીને તમે પણ ભાવુક થઈ જશો…"

Leave a comment

Your email address will not be published.


*