પિતા અને દીકરો ઘરે જઈ રહ્યા હતા, ત્યારે બદમાશોએ દીકરાની નજર સામે પિતાનો જીવ લઈ લીધો…દીકરો ત્યારબાદ ઘટના સ્થળેથી…

Published on: 10:41 am, Wed, 24 August 22

સમગ્ર દેશભરમાં દિવસેને દિવસે જીવ લેવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી એક ચોકાવનારી જીવ લેવાની ઘટના સામે આવી છે. જેમાં મંગળવારના રોજ રાત્રે બાઈક પર આવેલા બે બદમાશોએ દુશ્મનાવટના કારણે કરિયાણાના વેપારી ઉપર ગોળી ચલાવીને તેમનો જીવ લઈ લેવામાં આવ્યો છે.

આ ઘટના મેરઠમાં બની હતી. મેરઠની વાત કરીએ તો મેરઠમાં 48 કલાકમાં પાંચ જીવ લેવાના બનાવ સામે આવ્યા છે. મળતી માહિતી અનુસાર મંગળવારના રોજ રાત્રે વેપારી અને તેનો દીકરો સાથે હતા. આ દરમિયાન બદમાશોએ વેપારી ઉપર ગોળી ચલાવી હતી. ત્યારે તેનો દીકરો ઘટના સ્થળેથી જીવ બચાવીને ભાગી ગયો હતો.

બદમાશોએ સૌ પ્રથમ વેપારી ઉપર ધારદાર વસ્તુ વડે પ્રહાર કર્યા અને ત્યારબાદ વેપારીની ઉપર ગોળી ચલાવી હતી. આટલું જ નહીં પરંતુ બદમાશ હોય વેપારીના દીકરાને ધમકી આપી હતી કે, આમિર તુજે ભી  હમ જિંદા નહીં છોડેગે. આ ઘટનાની જાણ થતા પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા.

વેપારીના પુત્ર એ પોલીસને જણાવ્યું કે, દુશ્માના વટના કારણે તેના પિતાનો જીવ લેવામાં આવ્યો છે. મૃત્યુ પામેલા વેપારીનું નામ નિઝામુદ્દીન હતું અને તેમની ઉંમર 56 વર્ષની હતી. નિઝામુદ્દીન કરિયાણાના વેપારી હતા. મંગળવારના રોજ રાત્રે 9:00 વાગ્યાની આસપાસ તેઓ પોતાની દુકાન બંધ કરીને મસ્જિદ ગયા હતા.

મસ્જિદથી ઘરે જતી વખતે રસ્તામાં તેમને તેમનો નાનો દીકરો અમીર મળી ગયો હતો. આ દરમિયાન પિતા અને દીકરો એક સાથે ઘરે જઈ રહ્યા હતા. આ દરમિયાન બાઈક પર સવાર બે બદમાશો ત્યાં આવે છે અને નિઝામુદ્દીન પર પ્રહાર કરે છે. પોલીસ તપાસમાં જાણવા મળી રહ્યું છે કે, બદમાશ હોય સૌપ્રથમ વેપારીના પુત્ર અમીર પર ગોળી ચલાવી હતી.

પરંતુ અમીર ઘટના સ્થળેથી પોતાનો જીવ બચાવીને ભાગી ગયો હતો. ત્યારબાદ બદમાશોએ ધારદાર વસ્તુ વડે નિઝામુદ્દીન પર પ્રહાર કર્યા હતા અને તેમના પર ગોળી ચલાવીને તેમનો જીવ લઈ લીધો હતો. આ સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે સમગ્ર ઘટનાને લઈને ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "પિતા અને દીકરો ઘરે જઈ રહ્યા હતા, ત્યારે બદમાશોએ દીકરાની નજર સામે પિતાનો જીવ લઈ લીધો…દીકરો ત્યારબાદ ઘટના સ્થળેથી…"

Leave a comment

Your email address will not be published.


*