બાબા રામદેવ ના આ નવા ધંધાથી ખેડૂતો ને મળશે સીધો લાભ,જાણી લો બાબા રામદેવ નો માસ્ટર પ્લાન

Published on: 10:54 pm, Tue, 3 August 21

દેશમાં કોરોનાની મહામારી વચ્ચે યોગગુરૂ બાબારામદેવના પતંજલિ જૂથ ની આગેવાની હેઠળની રુચિ સોયા આસામ, ત્રિપુરા અને અન્ય પૂર્વોત્તર રાજ્યોમાં પામ તેલ ના વાવેતર શરૂ કરવાની યોજનાઓ બનાવી છે. આ ઉપરાંત ઓલ પ્રોસેસર જે બે વર્ષ પહેલાં પતંજલિ ગ્રુપ દ્વારા લેવામાં આવ્યું હતું.

આ ઉપરાંત કંપનીએ પામ તેલ ના વાવેતર માટે સ્થળ નો સર્વે પણ કરી લીધો છે. આ ઉપરાંત મળતી માહિતી મુજબ આ વાવેતર ખેડૂતો સાથે કરાર દ્વારા કરવામાં આવશે. તેમજ આસામ, ત્રિપુરા અને અન્ય પૂર્વોત્તરના રાજ્યોમાં રુચિ સોયા પોતાના પ્રોસેસીંગ યુનિટ ની સ્થાપના કરશે અને પામ ખરીદીની ખાતરી આપવામાં આવશે.

તે માટે ત્રિપુરા, આસામ, મણિપુર, મેઘાલય સહિતના અન્ય રાજ્યમાં જોવા મળી છે. ત્યારે સાથે હાલમાં તેમણે સર્વ પૂર્ણ કરી લીધી છે.

આ ઉપરાંત તેમને જણાવ્યું કે હાલમાં તો પશ્ચિમ બંગાળ, ત્રિપુરા, આસામ, ગુજરાત, કર્ણાટક, તમિલનાડુ, કેરળ, અંદમાન અને મહારાષ્ટ્રમાં છૂટા-છવાયા તેલના પામના વાવેતર શરૂ થશે.

આ ઉપરાંત મળતી માહિતી મુજબ યોગ ગુરૂ બાબા રામદેવ તેલના વાવેતર ક્યારે શરૂ કરાશે તે અંગે કોઈ પણ માહિતી આપવામાં આવી નથી. આ ઉપરાંત જણાવી દઈએ કે રુચિ સોયા ની ફોલોઓન ઓફર પછીથી શરૂ કરે શકાય છે.

તે માટે કંપની દ્વારા રોકાણકારો પાસેથી ભંડોળ પણ એકત્રિત કરવામાં આવ્યો છે પરિણામે પતંજલિ આયુર્વેદિક રુચિ સોયામાં 4300 કરોડ રૂપિયાનો હિસ્સો વેચી રહી છે. આ ઉપરાંત બાબા રામદેવે જણાવ્યું હતું કે વેચાણમાંથી ભેગા થયેલા નાણાનો ઉપયોગ લોન ચૂકવવા માટે કરવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "બાબા રામદેવ ના આ નવા ધંધાથી ખેડૂતો ને મળશે સીધો લાભ,જાણી લો બાબા રામદેવ નો માસ્ટર પ્લાન"

Leave a comment

Your email address will not be published.


*