ખેડૂત નેતા રાકેશ ટિકૈતે સરકારને આપી ચેતવણી, કહ્યું કે યાદ રાખો દર મહિને 26 તારીખ આવતી હોય છે.

Published on: 4:30 pm, Thu, 24 June 21

દેશમાં છેલ્લા કેટલાક મહિનાથી ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે હજુ સુધી ખેડૂત આંદોલનને લઈને કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો નથી. એવામાં ખેડૂત નેતા રાકેશ ટિકૈતે  સરકારને ચેતવણી આપતા કહ્યુ કે છેલ્લા સાત મહિનાથી આંદોલન ચાલી રહ્યું છે પણ સરકારને શરમ નથી આવી રહી.

આ ઉપરાંત તેમને કહ્યું કે કોરોના ની ત્રીજી લેહર આવશે તો પણ અમે અહીં જ રહેશું અને આંદોલન ચાલુ રાખશે. આંદોલન કોઈ પણ સંજોગામાં ખેડૂતો દ્વારા પાછો ખેંચવામાં આવશે નહીં.

તેમણે કહ્યું કે આંદોલન ખતમ નહીં થાય પણ શાંતિપૂર્ણ ચાલતું રહેશે. આ ઉપરાંત તેમને કહ્યું કે અહીં ચાર લાખ ટ્રેક્ટર હાજર છે. અને તેમને કહ્યું કે દર મહિનાની 26 તારીખ પણ આવતી હોય છે.

આ ઉપરાંત રાકેશ ટિકૈતે સરકારને 26 જાન્યુઆરીના રોજ ટ્રેક્ટર રેલીમાં થયેલી ઘટનાની યાદી અપાવી હતી. દેશમાં કોરોના ની વાત કરાવી તો કોરોના કેસ ધીમેધીમે ઘટી રહ્યા છે.

અને દેશના અમુક રાજ્યમાં કોરોના પ્રતિબંધો ઉપરથી છૂટ પણ આપવામાં આવી છે. આ ઉપરાંત સરકાર દ્વારા દેશમાં રસીકરણ અભિયાન જેમ બને તેટલું ઝડપી કરવાના પ્રયત્નો ચાલી રહ્યા છે. દેશના મૃત્યુનો આંકડો પણ ધીમેધીમે ઘટી રહ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ખેડૂત નેતા રાકેશ ટિકૈતે સરકારને આપી ચેતવણી, કહ્યું કે યાદ રાખો દર મહિને 26 તારીખ આવતી હોય છે."

Leave a comment

Your email address will not be published.


*