કોરોના ના કેસ ને લઈને ગુજરાત માટે આવ્યા અત્યંત રાહતના સમાચાર, જાણો વિગતે

Published on: 9:09 pm, Fri, 18 December 20

આજ રોજ ગુજરાત રાજ્યમાં કોરોનાવાયરસ ના 1075 નવા કોરોના કેસ નોંધાયા છે. ગુજરાત રાજ્યમાં અત્યંત રાહતના સમાચાર એ છેકે, છેલ્લા થોડા દિવસોથી કોરોના કેસ ઘટતા જોવા મળી રહ્યા છે. રાજ્યમાં કોરોના કેસની સંખ્યા પણ ઘટી રહી છે અને દરરોજ ના મુકાબલે દસ હજારથી વધુ ટેસ્ટ ઘટાડી દેવામાં આવ્યા છે.ગુજરાતમાં અત્યાર સુધીમાં 2,33,263 દર્દીઓ નોંધાય ચુક્યા છે.

રાજ્યમાં કોરોના થી સાજા થવાનો દર 92.88 ટકા છે. રાજ્યમાં આજે 54,775 ટેસ્ટ કરવામાં આવ્યા છે જેથી અત્યાર સુધીમાં કુલ 89,74,722 ટેસ્ટ કરવામાં આવ્યા છે. કોરોના ની ટેસ્ટ સંખ્યા ઘટાડી દેવામાં આવી છે તો ડાંગ,તાપી અને વલસાડ માં એક પણ કોરોના નો કેસ નોંધાયો નથી.

રાજ્યના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, રાજ્યમાં આજરોજ 1155 દર્દીઓ સાજા થયા છે.

અને અત્યાર સુધીમાં કુલ 2,16,683 દર્દીઓ સાજા થયા છે. આ ખૂબ જ સારા સમાચાર છેે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "કોરોના ના કેસ ને લઈને ગુજરાત માટે આવ્યા અત્યંત રાહતના સમાચાર, જાણો વિગતે"

Leave a comment

Your email address will not be published.


*