જામનગરની ક્ષાર અંકુશ પેટા વિભાગની કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીએ સુસાઇડ કરી લીધું… હસતા-ખલતા પટેલ પરિવારમાં માતમ છવાયો…

Published on: 1:01 pm, Thu, 2 November 23

ગુજરાતના જામનગરમાં બનેલી વધુ એક સુસાઇડની ઘટના સામે આવી રહી છે. જામનગરની ક્ષાર અંકુર પેટા વિભાગની કર્મચારીમાં ફરજ બજાવતા અને પ્રતિગ પાર્ક સોસાયટીમાં રહેતા એક કર્મચારીએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે.

હાલમાં તો એવું કહેવામાં આવી રહ્યું છે કે કર્મચારીએ અગમ્ય કારણોસર આ પગલું ભર્યું છે. ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી અને વધુમાં તપાસ શરૂ કરી દીધી હતી.

મળતી માહિતી અનુસાર સુસાઇડ કરનાર વ્યક્તિનું નામ જયસુખભાઈ વેલજીભાઈ કાનાણી હતું અને તેમની ઉંમર 54 વર્ષની હતી. જયસુખભાઈ પ્રગતિ પાર્ક-2 સોસાયટીમાં પેલેસ એપાર્ટમેન્ટના 103 નંબરના ફ્લેટમાં રહેતા હતા અને તેઓ ક્ષાર અંકુશ પેટા વિભાગની કચેરીમાં ફરજ બજાવતા હતા.

જયસુખભાઈ બેરાજ ગામ નજીક બંધોરા ડેમ પાસે આવેલા એક ઝાડ પર પોતાના શર્ટ મળે ગળાફાંસો ખાઈને સુસાઇડ કર્યું હતું. સૌપ્રથમ તો જયસુખભાઈના પરિવારના સભ્યોએ તેમના ગુમ થવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. ત્યારે ગઈકાલે તેમની બાઈક એક અજાણ્યા સ્થળેથી મળી હતી.

એટલે પોલીસે આસપાસ તપાસ કરી ત્યારે જયસુખભાઈનું મૃતદેહ એક ઝાડ પર લટકતી હાલતમાં મળ્યું હતું. પછી પોલીસે મૃતદેહને નીચે ઉતારીને વધુમાં તપાસ શરૂ કરી દીધી છે. જયસુખભાઈએ આ પગલું કયા કારણોસર ભર્યું તેની કોઈ પણ માહિતી સામે આવી નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "જામનગરની ક્ષાર અંકુશ પેટા વિભાગની કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીએ સુસાઇડ કરી લીધું… હસતા-ખલતા પટેલ પરિવારમાં માતમ છવાયો…"

Leave a comment

Your email address will not be published.


*