ધોરણ 10 અને 12 ની પરીક્ષા મુદ્દે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા નું મોટું નિવેદન, જાણો વિગતે.

Published on: 4:14 pm, Fri, 30 April 21

ગુજરાતમાં ધોરણ 10 અને 12 ની બોર્ડ પરીક્ષા ને લઈને શિક્ષણ મંત્રી નું મોટું નિવેદન સામે આવ્યું છે. ગુજરાતમાં કોરોનાની મહામારી ને કારણે હાલ શાળા કોલેજ બંધ કરી દેવામાં આવી છે અને 1 થી 9 તેમજ 11 માં ધોરણ ને માસ પ્રમોશન આપી દેવામાં આવ્યું છે.

પણ આ પરીક્ષાઓ મોફુફ નથી રાખવામાં આવી ત્યારે આજે શિક્ષણ મંત્રી આ અંગે મહત્વની વાત કરી હતી. ધોરણ 10-12 ની બોર્ડ પરીક્ષા મુદ્દે શિક્ષણ મંત્રી નું નિવેદન સામે આવ્યો છે.

જેમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું.મુખ્યમંત્રીએ પરીક્ષા ને લઈને 18 એપ્રિલ ના રોજ જાહેરાત કરી છે. હાલ રાજ્ય સરકાર દ્વારા પરીક્ષા સ્થગિત કરવામાં આવી છે.

શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વધુમાં જણાવ્યું કે પૂરતો સમય આપીને પરિસ્થિતિની સમીક્ષા કરી ને 15 મે ના રોજ નિર્ણય લેવામાં આવશે.

ગુજરાત રાજ્યમાં હાલ કોરોનાની સ્થિતિને જોતા ગુજરાત બોર્ડ પેપર ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ સ્થગિત કરી છે.

અને ધોરણ 1 થી 9 અને 11 ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય લીધો છે. વિદ્યાર્થીઓને માસ પ્રમોશન પ્રથમ કસોટી ના પરિણામના આધારે આપવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ધોરણ 10 અને 12 ની પરીક્ષા મુદ્દે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા નું મોટું નિવેદન, જાણો વિગતે."

Leave a comment

Your email address will not be published.


*