ગુજરાતના પ્રાથમિક શાળાઓ ખોલવાની લઈને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આપ્યું મોટું નિવેદન, જાણો વિગતે.

Published on: 3:25 pm, Tue, 3 August 21

ગુજરાતમાં કોરોના ની બીજી લહેર ખૂબ જ ઘાતક સાબિત થઈ હતી ત્યારે હાલમાં કોરોના કેસ દિવસેને દિવસે ઘટી રહ્યા છે અને ધીમે ધીમે રાજ્યમાં કોરોના સંક્રમણ કાબૂમાં આવતું જાય છે ત્યારે રાજ્ય સરકાર અનલૉકની પ્રક્રિયા તરફ વળી રહી છે.

ત્યારે શાળા-કોલેજ ખોલવાને લઈને પણ રાજ્ય સરકાર દ્વારા ધીમે ધીમે મંજૂરી આપવામાં આવી રહી છે. ત્યારે રાજ્યમાં પ્રાથમિક શાળાઓ ફરીથી શરૂ કરવાને લઈને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ મહત્વનું નિવેદન આપ્યું છે.

મળતી માહિતી મુજબ અમદાવાદમાં યોજાયેલા એક કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે રાજ્યમાં 9 પ્રાથમિક શાળાઓ ખોલવામા મુદ્દે નિર્ણય લેવામાં આવશે.

આ ઉપરાંત તેમને જણાવ્યું કે આગામી સમયમાં થનારી કોર કમિટીની બેઠકમાં ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ ની શાળાઓ ફરીથી શરૂ કરવાને લઈને ચર્ચાઓ કરવામાં આવશે ત્યારબાદ તેની જાહેરાત કરવામાં આવશે.

મળતા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં શહેરોમાં નવા 7 કેસ નોંધાયા છે. અને છેલ્લા 24 કલાકમાં કોરોના ના કારણે એક દર્દીનું મૃત્યુ થયું નથી. આ ઉપરાંત રાજ્યમાં રિકવરી રેટ 98.75 ટકા થયો છે.

આ ઉપરાંત રાજ્યમાં ધોરણ નવ અને 11 ના વિદ્યાર્થીઓની શાળા શરૂ કરવાને લઈને રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત 1 ફેબ્રુઆરીથી ધોરણ 9 અને 11 ના વિદ્યાર્થીઓ ના વર્ગો શરૂ કરવામાં આવશે.

ત્યારે રાજ્ય સરકાર દ્વારા ધોરણ 9 અને 11 ના વર્ગો શરૂ કરવાને લઈને મહત્વના નિર્ણયો લેવાયા છે. આ ઉપરાંત શાળાઓ શરૂ કરવાને લઈને વિદ્યાર્થીઓના વાલી ની સહમતી જરૂરી છે.

આ ઉપરાંત 1 ફેબ્રુઆરી ટ્યુશન ક્લાસીસ પણ શરૂ કરવાને લઈને રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ગુજરાતના પ્રાથમિક શાળાઓ ખોલવાની લઈને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આપ્યું મોટું નિવેદન, જાણો વિગતે."

Leave a comment

Your email address will not be published.


*