ફરી એક વખત અરુણાચલ પ્રદેશ અને મણિપુરમાં ભૂકંપનો આંચકો, જાણો વિગતે.

Published on: 9:55 am, Sun, 20 June 21

દેશમાં આજે અરુણાચલ પ્રદેશ અને મણિપુરમાં ફરી એક વખત ભૂકંપનો આંચકો નોંધાયો. આજે સવારે 1.02 વાગે અરુણાચલ પ્રદેશમાં અચાનક ભૂકંપનો આંચકો અનુભવાયો. અરુણાચલના પેગિનમાં આ આંચકો અનુભવાયો હતો. રિકટર મુજબ ભૂકંપની તીવ્રતા 3.1 રહી હતી.

ત્યારબાદ થોડાક સમયમાં જ મણિપુરમાં સવારે 1.22 મિનિટ પણ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. શુક્રવારના રોજ વહેલી સવારે 4.20 મિનિટે મેઘાલયમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

અહીં ભૂકંપની 2.6 તીવ્રતા નોંધાઇ હતી તે સૌથી ઓછી છે. આ ઉપરાંત આસામમાં 2.40 મિનિટે ભૂકંપ નોંધાયો હતો તેની તીવ્રતા 4.1 નોંધાઈ હતી.

અને મણિપુરમાં 1.06 મિનિટે ભૂકંપ નોંધાયો હતો તેની તીવ્રતા 3.0 નોંધાઈ હતી. ઉલ્લેખનીય છે કે ભારતમાં ત્રણ રાજ્યોમાં શુક્રવારે સવારે અચાનક ભૂકંપ આવ્યો હતો અને આજે ફરી એકવાર ભૂકંપ નોંધાયો છે.

શુક્રવારે ભૂકંપ આવતા સ્થાનિક રહેવાસીઓ પોતાના ઘરની બહાર દોડી આવ્યા હતા. આ ભૂકંપની ખાતરી નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી એ કરી હતી.

આ ઉપરાંત શુક્રવારે ગુજરાતના કચ્છ અને ભુજમાં પણ ભૂકંપ નોંધાયો હતો. ત્યાં ભૂકંપની તીવ્રતા 4.2 નોંધાઈ હતી. ભૂકંપનો અનુભવ થતાં લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા અને ભયનો માહોલ છવાઇ ગયો હતો. કચ્છમાં ભૂકંપનું કેન્દ્ર બિંદુ વામકા થી 11 કિલોમીટર દૂર નોંધાયું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ફરી એક વખત અરુણાચલ પ્રદેશ અને મણિપુરમાં ભૂકંપનો આંચકો, જાણો વિગતે."

Leave a comment

Your email address will not be published.


*