સવાર સવારમાં રખડતા આખલાએ વૃદ્ધ વ્યક્તિને ખૂંદી નાખ્યા, પછી તો કાંઈક એવું બન્યું કે… વૃદ્ધ વ્યક્તિનું કમકમાટીભર્યું મોત…

સમગ્ર દેશભરમાં દિવસેને દિવસે રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે. અત્યાર સુધીમાં રખડતા ઢોરના કારણે ઘણા નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ત્યારે હાલમાં બનેલી વધુ એક તેવી જ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક રખડતા આખલા એક વૃદ્ધ વ્યક્તિને અડફેટેમાં લીધા હતા. આ કારણોસર વૃદ્ધ વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા અને તેમનું મોત થયું હતું.

આ ઘટના આજરોજ રાજસ્થાનમાં બની હતી. મૃત્યુ પામેલા વૃદ્ધ વ્યક્તિનું નામ મોહનલાલ હતું અને તેમની ઉંમર 60 વર્ષની હતી. મોહનલાલ આજરોજ વહેલી સવારે લગભગ 4 વાગ્યાની આસપાસ પોતાના ઘરની બહાર આવ્યા હતા. આ દરમિયાન કેટલાક બળદો ઘરની બહાર ટોળામાં ઉભેલા હતા.

તેમાંથી એક બળદે મોહનલાલ પર પ્રહાર કર્યો હતો. આ કારણોસર મોહનલાલ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. અવાજ આવતા જ પરિવારના સભ્યો દોડીને બહાર આવ્યા હતા, પછી બળદને ત્યાંથી વગાડ્યો હતો અને વૃદ્ધ વ્યક્તિને ઘરની અંદર લઈ ગયા હતા.

થોડીક વાર પછી ઈજાગ્રસ્ત થયેલા વૃદ્ધ વ્યક્તિનું મોત થઈ ગયું હતું. આ ઘટના બનતા જ હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. આ દુઃખદ ઘટના બન્યા બાદ સ્થાનિક લોકોએ પાલિકા સામે રોષ વ્યક્ત કર્યો હતો.

સમગ્ર ઘટના બન્યા બાદ સ્થાનિક લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો અને લોકો પોતાના ઘરની બહાર નીકળતા પહેલા પણ હવે વિચારી રહ્યા છે. આ પહેલા પણ રખડતા ઢોરના પ્રહારના કારણે ઘણા નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*