ડોક્ટરોએ કર્યો બાબા રામદેવ નો વિરોધ, PPE કીટ પર આવું શા માટે લખ્યું, જાણો.

Published on: 3:04 pm, Tue, 1 June 21

બાબા રામદેવ ડોક્ટરની ટીકા કરી હતી. રાજ્યમાં ડોક્ટરોએ એ બાબા રામદેવ નો વિરોધ પ્રદર્શન કર્યું અને બાબા રામદેવની ધરપકડ કરવાની માંગ ઉઠાવી. ડોક્ટરોએ બાબા રામદેવ સમય વિરોધ કરતા પોતાની PPE કીટ પર રામદેવની ધરપકડ કરવાની માંગ સાથેનું લખાણ લખી લે આજે 1 લી જૂનને કાળા દિવસ તરીકે જાહેર કર્યો.

આ રીતે બાબા રામદેવ નો વિરોધ પ્રદર્શન કર્યું. બાબા રામદેવ કોરોના ના દર્દી માટે વપરાતી કેટલીક દવાઓ વિરુદ્ધ સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે કોવિડ-19 ની સારવારમાં એલોપથી દવાઓ લેવાથી લોકો મરી રહ્યા છે.

બાબા રામદેવના આ નિવેદનથી લોકો ગુસ્સે ભરાયા અને બાબા રામદેવ નો વિરોધ શરૂ કર્યો. આ ઉપરાંત બાબા રામદેવે ડોક્ટરોની પણ અવિશ્વસનીય ટિપ્પણી કરી હતી.

તેમને કહ્યું હતું કે”ડોક્ટર બનવા માટે ડિગ્રીની જરૂર નથી, ડોક્ટર બનવું હોય તો મારી જેવો ડોક્ટર બનો” આવા નિવેદન ના કારણે ડોક્ટરોએ પણ બાબા રામદેવ નો વિરોધ કર્યો અને બાબા રામદેવ ની ધરપકડ કરવાની માગ કરી.

સમગ્ર દેશમાં બાબા રામદેવનો થઇ રહ્યો છે તેવામાં ગુજરાતમાં અમદાવાદ શહેરમાં નવરંગપુરા પોલીસ મથકમાં બાબા રામદેવ વિરુદ્ધ અરજી કરવામાં આવી હતી.

અરજી અમદાવાદ મેડિકલ એસોસિએશન અને ગુજરાત મેડીકલ એસોસિએશન દ્વારા આપવામાં આવી હતી. અને અરજીમાં કહ્યું કે બાબા રામદેવ બિનશરતી માફી માંગે તેવી માંગ કરાઇ છે. ગુજરાતમાં બાબા રામદેવ સામે એલોપેથી ડોક્ટરોએ વિરોધ નોંધાવી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ડોક્ટરોએ કર્યો બાબા રામદેવ નો વિરોધ, PPE કીટ પર આવું શા માટે લખ્યું, જાણો."

Leave a comment

Your email address will not be published.


*