શું તમે જાણો છો ગિરનારમાં ભવનાથ સ્વરૂપે છે મહાદેવ!!! મહાશિવરાત્રીમાં થાય છે સાક્ષાત બિરાજમાન

ભવનાથ એટલે ભોલાનાથનું અતિ પ્રિય સ્થળ! ગરવો ગિરનાર શિવજીને કૈલાશ કરતા અતિ પ્રિય છે. તેથી જ સદાય ગિરનારના સાનિધ્યમાં રહેવા સ્વંય મહાદેવ ભવનાથરૂપે બિરાજમાન થયા છે. જ્યાં હંમેશા જય ગિરનારીનું સંગીત ગુંજતા હતા. આ ભવનાથ જૂનાગઢની જનતાના હૃદય સમાન છે. ભોલાનાથની દિવ્ય અનુભૂતિને મૂર્તિમંત કરતું આ પવિત્ર સ્થાન દરેકના હૃદયને સ્પર્શી જાય છે અને એ જ અવાજ “હર હર મહાદેવ” ગૂંજે છે.