દેવાયતના ખાહડા રહેશે જેલ માંજ, રાજકોટ કોર્ટે બહાનું બનાવીને જામીન માંગવા આવેલા ખવડને આપી ફટકાર…

Published on: 7:02 pm, Fri, 10 February 23

હંમેશા સ્ટેજ પર બેસીને વટ અને ખુમારીની વાતો કરનાર લોકસાહિત્યકાર દેવાયત ખવડને તો તમે બધા જરૂર ઓળખતા હશો. દેવાયત ખવડ દ્વારા કોર્ટમાં 25 દિવસના વચગાળાના જામીન માટેની અરજી કરવામાં આવી હતી. ત્યારે વચગાળા જામીનની અરજીને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો તમને જણાવી દઈએ કે કોર્ટ આરોપી દેવાયત ખવડની વચગાળાની જામીનની અરજી રદ કરી દીધી છે.

દેવાયત ખવડના વકીલ દ્વારા સેશન કોર્ટમાં વચગાળાની જામીન માટેની અરજી કરવામાં આવી હતી. દેવાયત ખવડ ના પક્ષ દ્વારા 25 દિવસ માટેની જામીન સેશન કોર્ટમાં માગવામાં આવી હતી. આ દરમિયાન કોર્ટની અંદર સરકારી વકીલ અને દેવાયત ખવડના વકીલ વચ્ચે સામસામે દલીલો પણ થઈ હતી.

વચગાળા જામીન અરજી પર સરકારી વકીલે દલીલો કરી હતી. ત્યારબાદ આ મામલાને લઈને કોર્ટ દ્વારા પોલીસનો અભિપ્રાય માગવામાં આવ્યો હતો. પોલીસનો અભિપ્રાય મળ્યા બાદ કોર્ટ દેવાયત ખવડની વચગાળાની જામીન રદ કરી દીધી હતી.

મિત્રો તમને જણાવી દે કે જીવલેણ પ્રહારના આરોપમાં દેવાયત ખવડ અને તેમના સાથીદારો દોઢ મહિનાથી જેલવાસ ભોગવી રહ્યા છે. કોર્ટમાં દેવાયત ખવડ ના વકીલ દ્વારા રજૂઆત કરતા જણાવવામાં આવ્યું હતું કે, દેવાયત ખવડ દ્વારા લગ્ન પ્રસંગ તેમજ શિવરાત્રીના કાર્યક્રમમાં અગાઉ બુકિંગ કરવામાં આવ્યા હતા.

ઘણા કાર્યક્રમોમાં એડવાન્સ રકમ લઈને બુકિંગ કરવામાં આવ્યું હતું. એડવાન્સ રકમ લઈને બુક કરેલો કાર્યક્રમ રદ થઈ શકે તેમ નથી. જો કાર્યક્રમ રદ કરવામાં આવે તો જેલવાસના કારણે દેવાયત ખવડ પૈસા પરત કરી શકે તેમ નથી અને તે પ્રકારની તેમની આર્થિક ક્ષમતા પણ નથી.

દેવાયત ખવડના વકીલ ની વાત સાંભળ્યા બાદ કોર્ટ આ મામલાને લઈને પોલીસનો અભિપ્રાય માગ્યો હતો.પોલીસનો અભિપ્રાય મર્યા બાદ કોર્ટ દ્વારા દેવાયત ખવડની વચગાળા જામીન ની અરજી રદ કરવામાં આવી હતી. હવે આગામી દિવસોમાં જોવાનું રહ્યું કે આ મામલો ક્યાં સુધી ચાલે છે અને ક્યાં સુધી દેવાયત ખવડ અને તેમના સાથીદારોને જેલમાં રહેવું પડશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "દેવાયતના ખાહડા રહેશે જેલ માંજ, રાજકોટ કોર્ટે બહાનું બનાવીને જામીન માંગવા આવેલા ખવડને આપી ફટકાર…"

Leave a comment

Your email address will not be published.


*