અયોધ્યામાં નિર્માણ થઈ રહેલા રામમંદિરમાં આ તારીખ થી રામભકતો કરી શકશે દર્શન, જાણો જલ્દી.

Published on: 7:44 pm, Wed, 4 August 21

હાલમાં દેશના કોરોનાની મહામારી વચ્ચે અયોધ્યા રામ મંદિર ને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ અયોધ્યા રામ મંદિરના ટ્રસ્ટના સૂત્રોના જણાવ્યા મુજબ ડિસેમ્બર 2023 સુધીમાં મંદિરનું તમામ કામકાજ પૂર્ણ થઇ જશે તેવું ટ્રસ્ટનું માનવું છે.

આ ઉપરાંત ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ શ્રી રામ જન્મભૂમિ તીથે ટ્રસ્ટે જણાવતા કહ્યું કે રામ મંદિરનું મુખ્ય પરિસર ડિસેમ્બર 2023 સુધીમાં તૈયાર થઈ જશે. ત્યારબાદ ભક્તો માટે અયોધ્યા રામ મંદિર ખુલ્લું મૂકી દેવામાં આવશે.

રામ મંદિરના નિર્માણ સાથે સંકળાયેલા લોકો આ વાતને કેટલી વખત કહી ચુક્યા છે અને આગામી સમયમાં મંદિરમાં પૂજા શરૂ થશે અને સાત સાત સામાન્ય ભક્તોને દેવતાના દર્શન કરવાની મંજૂરી પણ આપવામાં આવશે.

મળતી માહિતી મુજબ ડિસેમ્બર 2023 સુધીમાં રામ મંદિરનું તમામ કાર્ય પૂર્ણ થઇ જશે અને રામ મંદિર ભક્તો માટે ખુલ્લું મૂકી દેવામાં આવશે.

તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હાથે અયોધ્યામાં રામ જન્મભૂમિ ખાતે રામ મંદિર નો પાયાનો ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું. ત્યારે રામ મંદિર માટે મોટો ભંડોળ ભેગું કરવાનું કાર્ય પણ શરૂ છે.

ઉપરાંત વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રામ જન્મભૂમિ માટે કાર્યક્રમ કરાશે. મળતી માહિતી મુજબ પ્રત્યેક હિન્દુ સમાજના વ્યક્તિઓ પાસે 10 રૂપિયાનું દાન કરવામાં આવશે.

મળતી માહિતી મુજબ આ દાન ઉઘરાવવા નો મુખ્ય લક્ષ્યાંક કોઈ 33 કરોડ હિન્દુઓ ને સન્માન નિધિનો છે. રામ મંદિરના નિર્માણ માટે સમગ્ર ગુજરાતમાં પણ ઉઘરાવવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "અયોધ્યામાં નિર્માણ થઈ રહેલા રામમંદિરમાં આ તારીખ થી રામભકતો કરી શકશે દર્શન, જાણો જલ્દી."

Leave a comment

Your email address will not be published.


*