ઉત્તરાયણના તહેવાર માં રાજ્ય સરકારની છુટ હોવા છતાં પતંગ ઉડાવી શકાય તેવી નહિ હોઈ સ્થિતિ, જાણો શું છે કારણ

Published on: 4:29 pm, Tue, 12 January 21

ઉત્તરાયણના તહેવાર માં રાજ્ય સરકારની કડક માર્ગદર્શિકા આવતા પતંગ રસિયાઓ દુખની લાગણી અનુભવી છે ત્યારે હવામાન વિભાગે ફરી એક વખત રાજ્યના લોકોની ચિંતા વધારી છે.ઠંડીમાં લોકો વહેલી સવારે પતંગ ઉડાવી શકે તેવી સ્થિતિ ગુજરાત રાજ્યમાં નહિ હોય.

ઉત્તરાયણના તહેવાર એટલે કે 14 મી જાન્યુઆરી હવામાન વિભાગના જણાવ્યા મુજબ પવનની ગતિ સામાન્ય હશે પરંતુ ઠંડીનું જોર વધારે હશે એટલે કે બેથી ત્રણ ડિગ્રી પારો ગગડવાની હવામાન વિભાગે શક્યતા દર્શાવી છે.

તહેવારના બન્ને દિવસોએ કડકડતી ઠંડી પડે તેવી વકી છે.ઉતરાયણનો તહેવાર અંગે રાજ્ય સરકારે નિર્ણય લઇને લોકોને કેટલીક સૂચનાઓ અને નિયંત્રણો સાથે મંજૂરી આપી છે. સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકા નો ભંગ કરવા.

બદલ કડક કાર્યવાહી કરવામાં આવી શકે છે.સરકારે અમદાવાદમાં વર્ષોથી યોજાતો આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ રદ કર્યો છે.હવામાન વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું કે, અપર એર સર્ક્યુલેશનને કારણે તાપમાન વધ્યો હતો.

ભારે વરસાદને કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધ્યું હતો પરિણામે તાપમાનનો પારો ઉચો થયો હતો. ભેજનું પ્રમાણ વધતાં ઠંડી ઓછી થઈ હતી.13,14 અને 15 જાન્યુઆરીએ વધુ ઠંડી પડવાની સંભાવના છે.

ઉતરાયણના બન્ને દિવસોએ પવનની ગતિ સામાન્ય રહેવાની સંભાવના છે.પવનનું જોર વધુ નહિ હોય પરંતુ પતંગ રસિયાઓ તહેવારની મજા લઇ શકશે અને 15 મી જાન્યુઆરીએ પવનનું જોર થોડું વધશે તેવું જણાઈ રહ્યુ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ઉત્તરાયણના તહેવાર માં રાજ્ય સરકારની છુટ હોવા છતાં પતંગ ઉડાવી શકાય તેવી નહિ હોઈ સ્થિતિ, જાણો શું છે કારણ"

Leave a comment

Your email address will not be published.


*