ત્રણ-ત્રણ પત્નીઓ હોવા છતાં પણ નરાધમ રિયાઝ ખાને ઉર્વી વૈષ્ણવ પ્રેમ જાળમાં ફસાવી, પછી પોતાના મિત્ર સાથે મળીને દીકરીનો જીવ લઈ લીધો…દરેક હિન્દુ દીકરીઓ ચેતી જજો…

Published on: 1:14 pm, Fri, 23 December 22

હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી છે. મિત્રો છેલ્લા ઘણા સમયથી તમે ઘણી એવી ઘટનાઓ સાંભળીએ છીએ જેમાં વિઘર્મીઓ હિન્દુ યુવતીઓને પોતાની પ્રેમ જાળમાં ફસાવીને લગ્ન કરવાની લાલચ આપી તેની સાથે આડા સંબંધ બાંધે છે અને પછી તેને મોતને ઘાટ ઉતારી દે છે. ત્યારે હાલમાં બનેલી તેવી છે કે ઘટના સામે આવી છે. આ ઘટના દરેક એક હિન્દુ દીકરીઓ માટે એક ચેતવણી રૂપ કિસ્સો છે. થોડાક સમય પહેલા દિલ્હીમાં એક ઘટના બની હતી જેમાં લિવ ઈનમાં રહેતી શ્રદ્ધા નામની દીકરીનો તેના જ પાર્ટનરે જીવ લઇ લીધો હતો અને તેના શરીરના 35 ટુકડા કરી નાખ્યા હતા.

ત્યારે હાલમાં વધુ એક મામલો સામે આવ્યો છે. આ ઘટનામાં લિવઈનમાં રહેતી ઉર્વી નામની દીકરીનો તેના પાર્ટનર રિયાઝ ખાને જીવ લઈ લીધો છે. હાલમાં આ ઘટનાની ચર્ચા ચારેય બાજુ ચાલી રહે છે. મિત્રો તમને જણાવી દઈએ કે આરોપી રિયાઝ ખાનને ત્રણ-ત્રણ પત્ની હોવા છતાં પણ તે ઉર્વી સાથે લિવઈનમાં રહેતો હતો. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલી ઉર્વીના મૃતદેહ પાસેથી પોલીસને ચંપલ મળ્યા હતા.

ચંપલના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી અને આરોપીને દબોચી લીધો હતો. દીકરીના મૃત્યુના કારણે પરિવારમાં માતમ છવાઈ ગયો છે. મળતી માહિતી અનુસાર નવી મુંબઈના પનવેલના ધામી ગામના બ્રિજ પર ગત 17 ડિસેમ્બરના રોજ એક યુવતીનું મૃતદેહ મળી આવ્યું હતું. આ દીકરીની ઓળખ ઉર્વી ઉર્ફે ઉમા વૈષ્ણવ તરીકે થઈ હતી. ઉર્વી રાજસ્થાનના બુંદી શહેરની રહેવાસી હતી. તે નવી મુંબઈના કોપરખેરણની એક હોટલમાં વેઈટર તરીકે કામ કરતી હતી. મળતી માહિતી અનુસાર 14 ડિસેમ્બરના રોજ મૃત્યુ પામેલી ઉર્વીના ભાઈ એ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે તેની બહેન ગુમ થઈ ગઈ છે.

ત્યારબાદ પોલીસે તેની શોધખોળ શરૂ કરી હતી પરંતુ તેની કોઈ પણ જાણકારી મળી ન હતી. ત્યારે 17 ડિસેમ્બર ના રોજ પનવેલ પાસે બ્રિજ પર એક યુવતીનું મૃતદેહ મળી આવ્યું હતું. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર યુવતીના મૃતદેહ પાસેથી મળી આવેલા ચંપલના આધારે પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી હતી. મૃતદેહ પાસેથી મળી આવેલા ચંપલ પર શોરૂમનું નામ લખેલું હતું. જ્યારે પોલીસે તે શોરૂમના સીસીટીવી ફૂટેજ તપાસીયા ત્યારે તેમાં ઉર્વી અને તેની સાથે રિયાઝ ખાન નામનો એક યુવક નજરે પડ્યો હતો.

ત્યારબાદ પોલીસે રિયાઝની ધરપકડ કરી હતી અને પૂછપરછ દરમિયાન તેને પોતાનો ગુનો કબુલ કર્યો હતો. આરોપી રિયાઝ ખાન એક જીમ ટ્રેનર છે અને નવી મુંબઈના ધનસોલીમાં તેનું જીમ આવેલું છે. તે અવારનવાર હોટલ અને બારમાં જતો હતો. આ દરમિયાન હોટલમાં તેની મુલાકાત ઉર્વી સાથે થઈ હતી. ત્યાર પછી બંને એકબીજાને મળવા લાગ્યા હતા અને બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાઈ ગયો હતો. થોડા દિવસો પછી ઉર્વી રિયાઝ પર લગ્ન કરવા માટે દબાણ કરવા લાગી.

મિત્રો તમને જણાવી દઈએ કે આ આરોપી અને નરાધમ રિયાઝ ખાન પહેલેથી જ પાણી હતો અને તેને ત્રણ ત્રણ પત્નીઓ છે તેવું તેને પોલીસને જણાવ્યું હતું. જેના કારણે તે ઉર્વીના લગ્ન કરવાની વાતથી પરેશાન થઈ ગયો હતો અને તેને ડર લાગી ગયો કે તેની સામે ઉર્વી કેસ કરશે. એટલા માટે તેને ઉર્વીનો જીવ લેવાનો પ્લાન બનાવ્યો હતો.

14 ડિસેમ્બર ના રોજ ઉર્વી હોટલે જવા માટે નીકળી તો રિયાઝે તેને છોડવાનો બહાનું કાઢીને કારમાં લઈ ગયો હતો. આ દરમિયાન કારમાં આરોપીનો મિત્ર ઇમરાન શેખ પણ તેની સાથે હતો. ત્યારબાદ કારમાં જ બંને મળીને દોરડા વડે ગળું દબાવીને ઉર્વીનો જીવ લઇ લીધો હતો અને પછી તેના મૃતદેહને એક બ્રિજ લટકાવી દીધું હતું. કોઈને શંકા ન જાય તે માટે આરોપી સમગ્ર ઘટના બન્યા બાદ ઉર્વીના ભાઈ પાસે ગયો હતો. ત્યાં જઈને કહ્યું હતું કે તેને માથામાં દુખાવો છે ત્યારબાદ મૃત્યુ પામેલી દીકરીના ભાઈએ તેને કોફી બનાવીને પીવડાવી હતી. ત્યારબાદ તે ત્યાંથી ચાલ્યો ગયો હતો.

પછી 17 ડિસેમ્બરના રોજ દીકરીનું મૃતદેહ મળી આવ્યું અને પોલીસે મૃતદેહ પાસેથી મળી આવેલા ચંપલના આધારે આરોપીની ધરપકડ કરી લીધી હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે. દરેક હિન્દુ દીકરીઓ માટે આ એક ચેતવણીરૂપ કિસ્સો છે. દરેક હિન્દુ દીકરીઓને એક વાત કહેવા માગું છું કે આવા વિઘર્મીઓ સાથે સંબંધ ન રાખો અને તેમની મીઠી મીઠી વાતોમાં આવી ન જાઓ નહીંતર. તમારી હાલત પણ શ્રદ્ધા અને ઉર્વી જેવી થઈ શકે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ત્રણ-ત્રણ પત્નીઓ હોવા છતાં પણ નરાધમ રિયાઝ ખાને ઉર્વી વૈષ્ણવ પ્રેમ જાળમાં ફસાવી, પછી પોતાના મિત્ર સાથે મળીને દીકરીનો જીવ લઈ લીધો…દરેક હિન્દુ દીકરીઓ ચેતી જજો…"

Leave a comment

Your email address will not be published.


*