ગુજરાતમાં આ જિલ્લામાં વરસાદ નહીવત થતાં ખેડૂતો દ્વારા રાહત પેકેજની માંગણી, હવામાન વિભાગની આગાહી મુજબ…

Published on: 10:12 pm, Sat, 17 July 21

ગુજરાતમાં છેલ્લા ત્રણથી ચાર દિવસ વરસાદ મન મૂકીને વરસ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ સારો વરસાદ માટે હજુ ખેડૂતોને રાહ જોવી પડશે. ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી મુજબ 20 જુલાઈ બાદ સારો એવો વરસાદ થઇ શકે તેવા એંધાણ છે.

ગુજરાતમાં આ વર્ષે ગત વર્ષની સરખામણીમાં 39 ટકા વરસાદ ઓછો નોંધાઈ શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં હળવદ પડતો વરસાદ પડી શકે છે. તેમજ આગામી સમયમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદી ઝાપટુ આવી શકે છે.

તેમજ હવામાન વિભાગની આગાહી મુજબ ભાવનગર, રાજકોટ, જામનગર, દ્વારકા અને સૌરાષ્ટ્રમાં વરસાદ વરસી શકે છે. તેમજ ગીર સોમનાથ, પોરબંદર, અમરેલી માં પણ વરસાદની આગાહી છે.

ઉપરાંત ગાંધીનગર અને અમદાવાદમાં ગરમીનો માહોલ રહે તેવી સંભાવનાઓ છે. તેમજ દક્ષિણ ગુજરાતના દાદરા નગર હવેલી, ડાંગ અને તાપીમાં પણ વરસાદ વરસી શકે છે.

સુરેન્દ્રનગરમાં વરસાદ નું પ્રમાણ ખૂબ જ ઓછું થતા ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે. મગફળી, કપાસ, એરંડા, તલ અને ઘાસચારો તેમજ શાકભાજીના પાક નું વાવેતર થઇ ગયું છે. ખેતરમાં મોંઘા બિયારણ અને ખાતર ના ઉપયોગ બાદ વરસાદ ઓછો થતાં ખેડૂતોની ચિંતા વધી છે.

આ ઉપરાંત નર્મદાની માયનોર કેનાલમાં પાણીની અવરજવર બંધ કરતા ખેડૂતોને ફાયદો નહીં મળે. આ ઉપરાંત કોરોનાની મહામારી માં ડીઝલના ભાવ પણ દિવસે ને દિવસે વધી રહ્યા છે તેથી સુરેન્દ્રનગરના ખેડૂતોએ સરકાર પાસેથી રાહત પેકેજ માગ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!.

Be the first to comment on "ગુજરાતમાં આ જિલ્લામાં વરસાદ નહીવત થતાં ખેડૂતો દ્વારા રાહત પેકેજની માંગણી, હવામાન વિભાગની આગાહી મુજબ…"

Leave a comment

Your email address will not be published.


*