જન્મદિવસના એક દિવસ પહેલા મૃત્યુ..! કેદારનાથમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં ગુજરાતના ભાવનગરની 3 દીકરીઓના મૃત્યુ, સમગ્ર ભાવનગર પથકમાં માતમ છવાઈ ગયો…

Published on: 4:51 pm, Tue, 18 October 22

મિત્રો તમને જણાવી દઈએ કેદારનાથથી બે કિલોમીટર દૂર આજરોજ સવારે હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં 2 પાયલોટ અને 5 શ્રદ્ધાળુઓ સહિત 7 લોકોના મૃત્યુ થયા છે. આ ઘટના બનતા આજે ચારે બાજુ માતમ છવાઈ ગયો હતો. મૃતકોમાં ત્રણ ગુજરાતના ભાવનગરની યુવતીઓનો પણ સમાવેશ થાય છે.

ભાવનગરમાં રહેતી યુવતીઓના મૃત્યુના સમાચાર મળતા જ સમગ્ર ભાવનગર પથકમાં માતમ છવાઈ ગયો હતો. મૃતક દીકરીઓના પરિવારના લોકો રડી રહ્યા છે. કેદારનાથમાં બનેલી દુર્ઘટના ભાવનગરની ત્રણ યુવતીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ ઘટનામાં ઉર્વી જયેશભાઈ બારડ અને કૃતિ કમલેશભાઈ બારડ નામની બંને પિતરાઈ બહેનોના કરુણ મૃત્યુ નીપજ્યા છે.

બંને ભાવનાગરના દેસાઈનગર-2માં રહે છે. જ્યારે પૂર્વા રામાનુજ નામની અન્ય એક યુવતીનું પણ કરુણ મૃત્યુ થયું છે. મૃત્યુ પામેલી આ યુવતી ભાવનગર જિલ્લાના સિહોરની રહેવાસી હતી. આ હેલિકોપ્ટર દુર્ઘટનામાં ભાવનગરની ત્રણ યુવતી હોય પોતાના જીવ ગુમાવ્યા છે. મૃત્યુ પામેલી પૂર્વા રામાનુજ પિતા સિહોર નગરપાલિકાના સભ્યો હોવાનું જાણવા મળ્યું છે.

આ ઘટના બનતા જ મૃતક યુવતીના પરિવારજનો અને સમગ્ર ભાવનગર પથકમાં માતમ છવાઈ ગયો હતો. આ દુર્ઘટના કેદારનાથ બે કિલોમીટર દૂર ગરુડચટ્ટી પાસે બની હતી. અહીં હેલિકોપ્ટર દુર્ઘટનામાં 7 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. વહીવટી તંત્રને આ ઘટનાનો મેસેજ મળતા જ નાયબ મામલતદાર દ્વારા યુવતીઓના પરિવારજનોને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી.

મળતી માહિતી અનુસાર યોગ્ય 14 તારીખના રોજ કેદારનાથ ભગવાનના દર્શન માટે ગઈ હતી. 17 મી તારીખના રોજ ત્યાંથી તેઓ દર્શન કરીને પરત આવી રહ્યા હતા. ત્યારે કેદારનાથથી બે કિલોમીટર દૂર ગરુડચટ્ટી પાસે અચાનક જ હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ ઘટના બનતા આજે ચારેય બાજુ માતમ છવાઈ ગયો હતો.

મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલી કૃતિ બારડ નામની યુવતી નો જન્મદિવસ આજ હતો. આ સમગ્ર ઘટના બન્યા બાદ રાજ્ય સરકારે પણ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું હતું. રાજ્ય સરકાર દ્વારા મૃત્યુ પામેલી યુવતીના પરિવારજનોને ચાર ચાર લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "જન્મદિવસના એક દિવસ પહેલા મૃત્યુ..! કેદારનાથમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં ગુજરાતના ભાવનગરની 3 દીકરીઓના મૃત્યુ, સમગ્ર ભાવનગર પથકમાં માતમ છવાઈ ગયો…"

Leave a comment

Your email address will not be published.


*