બે પિતરાઈ ભાઇઓના મૃત્યુ : ગઢડા તાલુકાના ગુંદાળા ગામમાં ઈલેક્ટ્રિક કરંટ લાગતા બે બાળકોના કરૂણ મૃત્યુ…

Published on: 10:17 am, Tue, 8 February 22

બોટાદ માં બનેલી એક ખૂબ જ દુઃખદ ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર અહીં કરંટ લાગવાના કારણે બે માસૂમ બાળકોના જીવ ચાલ્યા ગયા છે. મળતી માહિતી મુજબ ગઢડા તાલુકાના ગુંદાળા ગામમાં ઇલેક્ટ્રિક કરંટ લાગતા બે પિતરાઇ ભાઇઓના મૃત્યુ થયા છે.

આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી. ઘટનાની જાણ થતાં ગામના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સમગ્ર ઘટનાને લઈને પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર આ ઘટનામાં 17 વર્ષીય ચિરાગ હિંમતભાઈ ઓળકિયા અને 6 વર્ષ વિવાન વિપુલભાઈ ઓળકિયાનું મૃત્યુ થયું છે. બંનેને પિતરાઈ ભાઈઓ હતા. બંને વાડી માં રમતા હતા.

ત્યારે બંનેને પિતરાઈ ભાઈઓ પાણી પીવાની ઇલેક્ટ્રિક મોટર શરૂ કરવા જાય છે ત્યારે તેમની કરંટ લાગે છે. ભારે કરંટ લાગતા બંને ભાઈઓના ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયા હતા. ઘટનાની જાણ થતા પરિવારના સભ્યો અને ગામના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

મૃત્યુ પામેલા ભાઈઓ એકબીજાના કાકા દાદાના ભાઈઓ થતા હતા. ઘટનાની જાણ થતા ગઢડા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. સમગ્ર ઘટનાને લઇને ગુનો નોંધીને બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગઢડા હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા.

આ ઘટના બનતા જ પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું. ગામમાં એક સાથે બે પિતરાઈ ભાઈઓની અર્થી ઉઠતા આખું ગામ હિબકે ચડયું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "બે પિતરાઈ ભાઇઓના મૃત્યુ : ગઢડા તાલુકાના ગુંદાળા ગામમાં ઈલેક્ટ્રિક કરંટ લાગતા બે બાળકોના કરૂણ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*