માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામના બે યુવાનો બાઈક પર સુરત તરફ જઇ રહ્યા હતા ત્યારે રસ્તામાં બંનેને અકસ્માત નડયો હતો. મળતી માહિતી અનુસાર અમરોલી નજીક અજાણ્યા વાહનચાલકે બંનેને અડફેટેમાં લીધા હતા. આ ઘટનામાં બંનેના ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયા હતા.
મૃત્યુ પામેલા બંને યુવાનો મિત્ર હતા. જેમાં 22 વર્ષીય જીગ્નેશ સુરેશભાઈ વસાવા અને 22 વર્ષીય ઋત્વિક વસાવાનું કરૂણ મૃત્યુ થયું છે. મળતી માહિતી અનુસાર બંને મિત્રો બાઈક પર ઝંખવાવ થી સુરત જવા માટે નીકળ્યા હતા.
રાત્રિના સમયે સુરતના અમરોલી નજીક મુખ્ય માર્ગ પર એક અજાણ્યા વાહનચાલકે બંને મિત્રોને અડફેટેમાં લીધા હતા. આ ઘટનામાં બંને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.
આ કારણોસર બંનેનું ઘટના સ્થળે જ કરૂણ મૃત્યુ થયું હતું. આ અકસ્માતની ઘટનાથી જાગૃતિ પામેલા યુવાનોના પરિવારજનોને થતાં પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું.
ત્યાર બાદ પરિવારજનો સુરત ખાતે પહોંચી આવ્યા હતા. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
સમગ્ર ઘટનાને લઇને પોલીસે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોસ્ટમોર્ટમ થયા બાદ બંને મિત્રોના મૃતદેહને ઝંખવાવ લઈ જવામાં આવ્યા હતા. બંનેની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને ત્યાં હાજર તમામની આંખોમાં આંસુ હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment on "અકસ્માતમાં 2 મિત્રોના મૃત્યુ : સુરત તરફ જઇ રહેલા 2 મિત્રોને અજાણ્યા વાહનચાલકે લીધા અડફેટેમાં – બંનેના કરૂણ મૃત્યુ…"