પિતા અને 6 વર્ષના દીકરાનું મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યું, પરિવારજનોએ પત્નીને જાણ કર્યા વગર બંનેના અંતિમ સંસ્કાર કરી નાખ્યા – જાણો સમગ્ર ઘટના

Published on: 10:58 am, Sun, 24 July 22

હાલમાં બનેલી એક દર્દનાક ઘટના સામે આવી છે. આ ઘટનામાં 20 જુલાઈ ના રોજ એક પિતા અને તેના 6 વર્ષના દીકરાનું મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યું હતું. આ ઘટના બનતા જ ચારે બાજુ ભારે અફરાતફરી મચી ગઈ હતી. સમગ્ર ઘટના બન્યા બાદ પરિવારના લોકોએ પોલીસને જાણ કર્યા વગર પિતા અને દીકરાના અંતિમ સંસ્કાર કરી નાખ્યા હતા. એટલું જ નહીં પરંતુ આ ઘટનાની જાણ પત્નીને પણ ન કરવામાં આવી હતી.

ઘટનાના બે દિવસ બાદ આ ઘટનાની જાણ પત્નીને થઈ હતી. તેથી પત્ની પોતાના પરિવારના લોકો સાથે પોલીસ સ્ટેશન પહોંચીએ ત્યારે સમગ્ર ઘટનાને લઈને ફરિયાદ નોંધાવી હતી. આ સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. મળતી માહિતી અનુસાર શનિવારના રોજ પોલીસે બાળકના મૃતદેહને કબરમાંથી બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું.

પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જાણવા મળ્યું કે બાળકનું મૃત્યુ તેના માથાના ભાગે ઇજા પહોંચવાના કારણે થયું છે. પોલીસે સમગ્ર ઘટનાને લઈને કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના કાનપુરના ગ્રામ્ય વિસ્તારમાં બની હતી. નીરૂદેવી નામની મહિલાના લગ્ન આઠ વર્ષ પહેલાં 28 વર્ષીય આશિષ સિંહ સાથે થયા હતા.

તેમને એક 6 વર્ષનો દીકરો ક્રિષ્ના અને બે દીકરીઓ ખુશી અને દિવ્યા છે. સમગ્ર ઘટનાને લઈને નીરુદેવીએ જણાવ્યું કે, તેના પતિ આશિષને દારૂની લત હતી. જ્યારે તે આ વાતનો વિરોધ કરતી ત્યારે તેનો પતિ તેની સાથે ઝઘડો કરતો હતો. જેના કારણે તે 8 મહિના પહેલા પોતાના પિયર ચાલી ગઈ હતી.

22 જુલાઈના રોજ તેને માહિતી મળી કે, તેના પતિએ 20 જુલાઈના રોજ તેના છ વર્ષના દીકરા ક્રિષ્નાને ગળાફાંસો આપીને પોતે ગળાફાંસો ખાઈ લીધો છે. સાસરિયાઓએ આ ઘટનાની જાણ પોલીસ અને નીરુદેવીને કર્યા વગર પિતા અને દીકરાના અંતિમ સંસ્કાર કરી નાખ્યા હતા.

આ સમગ્ર ઘટના બન્યા બાદ નીરુદેવીએ, સાળા અતુલ અને અર્જુન, સસરા રામકુમારસિંહ, સાસુ કલ્લી દેવી, ભાભી નિશા અને મનીષા સામે જીવ લેવાનો આરોપ લગાવ્યો છે. સમગ્ર ઘટનાને લઈને મૃતક ની પત્નીની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસ એ સાસરીયાઓની પૂછપરછ શરૂ કરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "પિતા અને 6 વર્ષના દીકરાનું મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યું, પરિવારજનોએ પત્નીને જાણ કર્યા વગર બંનેના અંતિમ સંસ્કાર કરી નાખ્યા – જાણો સમગ્ર ઘટના"

Leave a comment

Your email address will not be published.


*