સી.આર.પાટીલે કહું કે જો ભાજપના કાર્યકતા હશો તો સરકારી નોકરી તરત જ મળી જશે ત્યારે વિપક્ષે કહું કે…

Published on: 10:21 am, Wed, 13 October 21

ગુજરાતમાં સરકારી નોકરી ની રાહ જોઈને કંટાળેલા વિદ્યાર્થીઓ અને યુવાનો ઘણી વખત રસ્તા ઉપર થી આવતા હોય છે.અનેક ભણેલા ગણેલા યુવાનો બેરોજગાર કેટલાય વર્ષથી નોકરી ની રાહ જોઈ રહ્યા છે ત્યારે ગુજરાત ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલ માં એક નિવેદન થી ગુજરાતમાં રાજકીય ગરમાવો વ્યાપ્યો છે.

ગુજરાતમાં સાબરકાંઠાના હિમતનગર ખાતે કાર્યક્રમ દરમ્યાન ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે હાજરી આપી હતી. આ દરમિયાન તેમને નિવેદન આપ્યું હતું કે ભાજપના કાર્યકરોને દીકરાઓને સરળતાથી નોકરી મળી જાય છે પરંતુ તે ભાજપનો કાર્યકર હોય તે જરુરી છે.

આ મામલે કોંગ્રેસે ભાજપ પર નિશાન સાધ્યુ અને કહ્યું કે ગુજરાત સરકાર ભાજપ ની કંપની છે જ્યાં ભાજપનો કાર્યકર હોવું તે ઉમેદવારનું કવોલીફિકેશન ગણાય છે.આ કાર્યક્રમમાં તેમણે કહ્યું કે અમારે ત્યાં જિલ્લા પ્રભારી કાનાબાર હતા, જે જિલ્લાના પ્રભારી હતા.

એક વખત તેમને એક વ્યક્તિને ઠંડીમાં સવારના સમયે જતી અટકાવી અને પૂછ્યું કે તે આટલી ઠંડીમાં ક્યાં જઈ રહ્યો છે.તેને જણાવ્યું કે પેજ કમિટી ની ડીટેલ્સ છે જેને તે એન્ટ્રી કરાવવા માટે જઈ રહ્યો છે.પાટીલના કહેવા પ્રમાણે કાનાબાર એ તેમને ફોન કર્યો અને મળવા માટે જણાવ્યું.

મેં તેને જમવા માટે બોલાવો પછી તેણે મને ફોન કરીને કહ્યું કે હું વીસ વરસથી ભાજપનો કાર્યકર છું.મારે કામ છે હું કહું કે નહીં? મારા દીકરાને નોકરી નથી લાગી રહી ત્યારબાદ તેમના દિકરાની નોકરી લાગી ગઈ. ભાજપની સરકાર હોય તો કાર્યકર થોડા રહી જશે

અહી અનેક ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે જે બોર્ડ ના અધ્યક્ષ છે. તેમને પણ હું કહી રહ્યો છું કે કાર્યકરોને પ્રમુખતા મળવી જોઈએ.વીપક્ષના નેતા અર્જુન મોઢવાડિયાએ કહ્યુ કે ફક્ત ભાજપના કાર્યકર હોવાના આધાર પર નોકરી ન મળી શકે.આનાથી ગુજરાતના ક્વોલિફાઈડ યુવાનોને અન્યાય થઇ રહ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "સી.આર.પાટીલે કહું કે જો ભાજપના કાર્યકતા હશો તો સરકારી નોકરી તરત જ મળી જશે ત્યારે વિપક્ષે કહું કે…"

Leave a comment

Your email address will not be published.


*