ગુજરાતની 2022ની વિધાનસભાની ચૂંટણીને લઈને સી.આર.પાટીલે આપ્યું મોટું નિવેદન, જાણો વિગતે.

Published on: 4:57 pm, Fri, 11 June 21

ગુજરાત રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી ના પક્ષ માં વિધાનસભાની ચૂંટણીને લઈને ખૂબ જ હલચલ મચી રહી છે. ગુજરાતમાં ગાંધીનગરમાં પ્રદેશ કાર્યાલય ભાજપની કોર કમિટીની બેઠક મળી હતી. તેમાં ભાજપના અનેક દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા.

બેઠક બાદ ગુજરાતના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે કહ્યું કે આ બેઠકમાં સરકાર અને પક્ષ દ્વારા કોરોનાની મહામારી કરાયેલી કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત રાજ્યમાં વાવાઝોડા ના કારણે ખૂબ જ નુકસાન થયું હતું.

તેને કારણે આ બેઠકમાં રાહત અંગે કેન્દ્ર સરકારના પેકેજ અંગે પણ ચર્ચા કરાઇ હતી. આ ઉપરાંત સીઆર પાટીલે કહ્યું કે આ બેઠકમાં આગામી 2022 ની વિધાનસભાની ચૂંટણીને લઈને પણ મહત્વની ચર્ચા કરાઈ છે.

આ બેઠકમાં સીઆર પાટીલે કહ્યું કે ચૂંટણીને લઇને પ્રાથમિક તૈયારીઓ શરૂ કરી છે. અને મંત્રીમંડળ કેટલીક સૂચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવ્યું છે.

તેમને કહ્યું કે આ ઉપરાંત સરકાર અને સંગઠન વચ્ચે પ્રામાણિકતાથી કામ કરી રહ્યા છે. મંત્રીમંડળ વિતરણ ની ચર્ચા મુદ્દે ગુજરાતના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ એ જવાબ આપ્યો કે કોંગ્રેસ પાયા વગરની વાતો કરી રહ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ગુજરાતની 2022ની વિધાનસભાની ચૂંટણીને લઈને સી.આર.પાટીલે આપ્યું મોટું નિવેદન, જાણો વિગતે."

Leave a comment

Your email address will not be published.


*