પેટાચૂંટણીના પરિણામ પહેલા જ કોંગ્રેસે ગુમાવી આ એક બેઠક, જાણો શું છે કારણ

Published on: 11:15 am, Mon, 19 October 20

ઉત્તર પ્રદેશ ની પેટા ચૂંટણીને લઈને કોંગ્રેસ માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે કે,ચૂંટણીના પરિણામો આવે તે પહેલાં જ કોંગ્રેસે ગુમાવી હોવાના સમાચાર આવ્યા છે. નામાંકન રદ કરવામાં આવતા કોંગ્રેસ પાર્ટીના કોઇ ઉમેદવારે મેદાન છોડવું પડ્યું. ફિરોઝાબાદ જિલ્લાના ટુંદલા સીટ થી ચૂંટણી લડી રહેલા કોંગ્રેસના ઉમેદવારનું નામાંકન જ કેન્સલ કરી દેવામાં આવ્યું છે.કોંગ્રેસના ઉમેદવાર સ્નેહલતા નું નામાંકન એટલે કેન્સલ કરવામાં આવ્યું હતું તેનું કારણ કે તેનું શપથ પત્ર અધૂરું હતું. તેને તેના શપથ પત્ર માં બધી જાણકારી આપી ન હતી.

જેની ચકાસણી ચુનાવ આયોગ કરે છે. નિયમ પ્રમાણે શપથપત્રમાં કોઈપણ કોલમ ખાલી છોડવી ન જોઈએ. સ્નેહલતા એ પોતાના આશ્રિતોની કોલમ ખાલી છોડી દીધી હતી. નામાંકન કેન્સલ થઈ જવાને લીધે લાલ પીળા થયેલી સ્નેહલતા ફિરોઝાબાદ જિલ્લા સરકાર બેઇમાનીના આરોપ લગાવ્યા હતા. સ્નેહલતા એ કહ્યું કે, ડોક્ટર ના રોજ ભરવામાં આવેલા નામાંકન મા કેટલીક ખામીઓ જરૂર હતી.

પરંતુ16 ઑક્ટોબરના રોજ તેને સુધારી દેવામાં આવ્યું હતું. ટુંડલા સીટ થી અહી ચૂંટણી જીતવાની હતી કારણ કે તે એવી ઉમેદવાર હતી જે અહીંની સ્થાનિક છે.બાકીના ઉમેદવારો બહારના છે. તેવામાં રિટર્નિંગ ઓફિસર જાણી જોઈને મારું નામાંકન પત્ર કેન્સલ કરી દીધું છે.સ્નેહલતા આરોપ લગાવ્યો કે.

તેના શપથ પત્ર માં પાના પણ બદલી નાખવામાં આવ્યા છે. બીજી તરફ ઓફિસરે કહ્યું કે સ્નેહલતા અને ત્રણ વખત બોલાવવામાં આવી ને કહેવામાં આવ્યું હતું કે તેમનું નામાંકન પત્ર અધૂરું છે, પરંતુ દર વખતે તેને કેટલી કોલમ ખાલી છોડી દીધી હતી.

આખી ઘટના ક્રમની આખી વીડિયોગ્રાફી કરવામાં આવી છે અને જેનાથી કોઈ પણ રીતની ગડબડ થવાની સંભાવના નથી. આ મામલે કોર્ટમાં લઇ જવા પર સ્નેહલતા દ્વારા કહેવામાં આવ્યું હતું.

કે, હવે કોટે શું જવાનું. હાલમાં રસ્તા પર દેખાઈ રહેલી કોંગ્રેસ માટે આ ઘટના કોઈ સગમાં કરતાં ઓછું નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "પેટાચૂંટણીના પરિણામ પહેલા જ કોંગ્રેસે ગુમાવી આ એક બેઠક, જાણો શું છે કારણ"

Leave a comment

Your email address will not be published.


*