બોર્ડે જાહેર કર્યો પરિપત્રો : ધોરણ 9 અને 11 ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન લેવું હશે તો કરવું પડશે આ કાર્ય.

Published on: 10:14 am, Fri, 30 April 21

કોરોના મહામારી ના કારણે રાજ્ય સરકાર દ્વારા ચાલુ વર્ષે પણ ધોરણ 1 થી 9 અને 11 મા ધોરણના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં મહત્વપૂર્ણ નિર્ણય લીધેલ છે. તાજેતરમાં જ માસ પ્રમોશન અંગે પરિણામો તૈયાર કરવા અંગે બોર્ડ દ્વારા પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો હતો.

પરંતુ ગઈકાલે બોર્ડ દ્વારા ફરીથી ધોરણ 9 અને 11 ના પરિણામને લઇને કેટલીક સ્પષ્ટતા સાથે નો પરિપત્ર જાહેર કર્યો છે. જેમાં જણાવ્યા મુજબ ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓએ પ્રમોશન લેવું હશે તો પણ પ્રથમ કસોટી આપવી ફરજીયાત છે.

રાજ્યમાં ધોરણ 9 અને 11 ના વિદ્યાર્થીઓની પ્રથમ કસોટી લેવાય ચૂકી છે પરંતુ જે વિધાર્થીઓએ પ્રથમ કસોટી આપી નથી તેમના પરિણામ પ્રથમ કસોટી લેવાયા બાદ જ તૈયાર થશે.

જો કોઈ વિદ્યાર્થી પ્રથમ કસોટી આપવા માટે તૈયાર નહીં થાય તો તેવા વિદ્યાર્થીઓના પરિણામ માં એવો ઉલ્લેખ કરવામાં આવશે કે આ વિદ્યાર્થીઓ માસ પ્રમોશન લેવા તૈયાર નથી.

શિક્ષણ બોર્ડ દ્વારા કરવામાં આવેલી સ્પષ્ટતાઓ મુજબ ધોરણ 9 અને 11 માં 50 ગુણ ની પ્રથમ કસોટી ના આપી હોય તેવા વિદ્યાર્થીઓને પરિણામ અટકાવી તેમની ફરીથી પ્રથમ કસોટી લેવાની રહેશે.

અને ત્યારબાદ જ આવા વિદ્યાર્થીઓના પરિણામ જાહેર કરવાના રહેશે. આ ઉપરાંત સામાયિક કસોટી ના આપ્યું હોય તેવા વિદ્યાર્થીઓને પુનઃ સામયિક કસોટી લીધા બાદ પરિણામ જાહેર કરવાનું રહેશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "બોર્ડે જાહેર કર્યો પરિપત્રો : ધોરણ 9 અને 11 ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન લેવું હશે તો કરવું પડશે આ કાર્ય."

Leave a comment

Your email address will not be published.


*