ગુજરાત રાજ્યમાં લોકડાઉન ને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી મોટી જાહેરાત, જાણો.

Published on: 3:27 pm, Thu, 18 March 21

ગુજરાત રાજ્યમાં કોરોના કેસો દિવસેને દિવસે વધી રહ્યા છે ત્યારે નાગરિકોમાં ફરી એક વખત લોકડાઉન લાગુ નહીં થાય તેવી સ્પષ્ટતા કરી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સ યોજી રાજ્યમાં કોરોના સ્થિતિ મુદ્દે સરકારે લીધેલા પગલાઓને માહિતી આપી હતી.

ત્યારે મુખ્યમંત્રી રૂપાણી સ્પષ્ટ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યમાં લોકડાઉન લાગુ કરવાની સરકારની કોઇ વિચારણા નથી આથી લોકો લોકડાઉન ને લઈને કોઈ ભય કે આંશકા ન રાખે.મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું કે.

છેલ્લા પંદર દિવસથી ગુજરાત રાજ્યમાં કોરોના ના કેસો વધી રહ્યા છે પરંતુ સરકાર કોરોના નું સંક્રમણ અટકાવવા પૂરતા પગલાં લઈ રહી છે. દરરોજ 7 હજાર જેટલા ટેસ્ટ કરવામાં આવશે.

અને આ ઉપરાંત રસીકરણ અભિયાન વધુ વેગવંતુ બનાવી દરરોજ 3 લાખ લોકોને રસી આપવામાં આવશે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે સરકારી અને ખાનગી હોસ્પિટલમાં 6 હજાર જેટલી કોવીડ બેડ ની વ્યવસ્થા ઉભી કરાઈ છે.

અને ભૂતકાળમાં ખાનગી હોસ્પિટલમાં દર્દીઓની સારવાર ની જે વ્યવસ્થા હતી તે વ્યવસ્થા ફરી ઉભી થશે.લોકડાઉન આ અંગે મહત્વની જાહેરાત કરવામાં આવી છે.

કે ગુજરાતમાં લોકડાઉન લાગુ નહીં કરવામાં આવે. રાત્રી કરફ્યુ ના સમયમાં બદલાવ ઉપરાંત એએમટીએસ તથા બીઆરટીએસ બસો રાતોરાત બંધ કરવાના.

રાજ્ય સરકારના નિર્ણય બાદ લોકોમાં કફડાત હતો કે કદાચ રાજ્યમાં ફરીથી લોકડાઉન થઈ શકે છે અને આ અંગે મુખ્યમંત્રી રૂપાણી સ્પષ્ટ જણાવી દીધું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ગુજરાત રાજ્યમાં લોકડાઉન ને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી મોટી જાહેરાત, જાણો."

Leave a comment

Your email address will not be published.


*