વાવાઝોડાની થી થયેલા નુકસાનની સહાય માટે મુખ્યમંત્રી રૂપાણીએ કરી આ મોટી જાહેરાત, જાણો કોને કેટલી મળશે સહાય.

Published on: 9:33 am, Thu, 20 May 21

મુખ્યમંત્રી વિજય રૂપાણી ગુજરાત પર આવેલી વાવાઝોડાની આપત્તિ થયેલા નુકસાનમાં તાત્કાલિક રાહત સહાય માટે 1000 કરોડની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરેલી જાહેરાતને આવકારીને પ્રધાનમંત્રી અને ભારત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે, ગુજરાત પર આવેલી આફત સહીત જયારે જ્યારે ગુજરાતને જરૂરિયાત ઊભી થાય ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉદાર સહાય આપીને ગુજરાતની વિપદાઓમા પડખે ઊભા રહે છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણી વાવાઝોડાની આફતમાં પણ પ્રધાનમંત્રી ગુજરાતને કરેલી સહાય વધુ રાહત રૂપ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેર કર્યું છે કે આ વાવાઝોડાના કારણે જેમને પોતાના જીવ ગુમાવ્યા છે.

તેવા લોકોના વારસદારોને ગુજરાત સરકાર તરફથી ચાર લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે અને આ સાહેબ ભારત સરકારે જાહેર કરેલી બે લાખની સહાય ઉપરાંત અપાશે.

આમ રાજ્યમાં વાવાઝોડાથી મૃત્યુ પામેલા વ્યક્તિઓના વારસદારોને ફુલ 6 લાખની સહાય મળશે. મુખ્યમંત્રી એવી પણ જાહેરાત કરી છે કે આ વાવાઝોડામાં ઇજા પામેલા લોકોને રાજ્ય સરકાર 50 હજારની સહાય આપશે.

આ સહાય પણ પ્રધાનમંત્રી મોદીએ જાહેર કરેલી સહાય ઉપરાંત રાજ્ય સરકાર આપશે એટલે કે વાવાઝોડાથી જેમણે ઇજા થઇ છે તેવા ઇજાગ્રસ્તોને કુલ એક લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "વાવાઝોડાની થી થયેલા નુકસાનની સહાય માટે મુખ્યમંત્રી રૂપાણીએ કરી આ મોટી જાહેરાત, જાણો કોને કેટલી મળશે સહાય."

Leave a comment

Your email address will not be published.


*