દેશમાં દિવસેને દિવસે કોરોના ની બીજી લહેર ઘટી રહે છે અને કોરોના ના કારણે મૃત્યુ પામનાર લોકોની સંખ્યા પણ ઘટી રહી છે. અને દેશના અનેક રાજ્યોમાં અનલૉક ની પ્રક્રિયા શરૂ થઇ જાય છે. જ્યારે કોરોનાની મહામારી વચ્ચે તમિલનાડુમાં લૉકડાઉન લંબાવવામાં આવ્યું છે.
ઉપરાંત ત્રિપુરામાં કોરોના ના કેસ સતત વધતા સરકાર દ્વારા ૧૭ જુલાઇ સુધી કોરોના કરફ્યુ લગાવી દેવામાં આવ્યો છે. સમગ્ર દેશમાં કોરોના ના કેસ દિવસેને દિવસે ઘટી રહ્યા છે ત્યારે કેરળ રાજ્યમાં કેસ ઓછા થવાના જગ્યા આ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.
ગત સમયમાં કોરોનાવાયરસ ના કેસ ઓછા કરવા માટે કેરળ મોડલ ના વખાણ કરવામાં આવ્યા હતા પરંતુ અત્યારે ત્યાં જ કોરોના ના કેસ સતત વધી રહ્યા છે. કેરળમાં આજરોજ 14000 કેસ નોંધાયા છે.
ઉપરાંત તમિલનાડુમાં પણ 19 જુલાઇ સુધી લૉકડાઉન લંબાવવાનો નિર્ણય લેવાયો છે. ઉપરાંત ચાની દુકાનો, હોટલ, રેસ્ટોરન્ટ અને બેકરીઓ પણ નવ વાગ્યા સુધી ખોલવાની મંજૂરી આપી દેવામાં આવી છે.
જેમાં ગ્રાહકોની સંખ્યા 50 ટકા સુધી સીમિત રાખવામાં આવશે. ઉપરાંત રાજ્યમાં સિનેમા હોલ, સ્વિમિંગ પૂલ, સ્કૂલ-કોલેજ વગેરે બંધ કરવાનો આદેશ આપ્યો છે.
આગામી સમયમાં કોરોનાની મહામારી અને તહેવારોને ધ્યાનમાં રાખીને યુપીના નોઇડામાં 144ની કલમ 30 ઓગસ્ટ સુધી લાગુ કરવામાં આવશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment on "દેશમાં કોરોના ના કેસ ઘટી રહ્યા છે પરંતુ આ રાજ્યોમાં લોકડાઉન અને નાઈટ કર્ફ્યુ લાગુ, જાણો વિગતો."