માં મોગલની કૃપાથી સુરતના આ યુવકની માનતા પૂરી થઈ, માનતા પૂરી કરવા યુવક મોગલ ધામ પહોંચ્યો, ત્યારે મણીધર બાપુએ કહ્યું તારે બહેન છે…

Published on: 6:35 pm, Wed, 27 July 22

કહેવાય છે કે માં મોગલના પરચા અપરંપાર રહ્યા છે, માં મોગલ તો અઢારે વરણની માતા કહેવાય છે. જ્યારે પણ ભક્તોના જીવનમાં દુઃખ આવે છે ત્યારે તેઓ માં મોગલ ને અચૂક યાદ કરતા હોય છે અને કહેવાય છે કે માં મોગલ પણ ક્યારેય પોતાના ભક્તને દુઃખી જોઈ શકતા નથી. તેથી જ ભક્તો પણ માં મોગલ પર આસ્થા અને શ્રદ્ધા રાખે છે અને માં મોગલ ની માનતાઓ માનતા હોય છે.

માં મોગલ પણ બધા જ ભક્તોની બધી મનોકામનાઓ પણ પૂર્ણ કરે છે. કહેવાય છે કે સાચા દિલથી માં મોગલ ને માનો તો જીવન ધન્ય ધન્ય થઈ જાય છે. એટલું જ નહીં પરંતુ જે કોઈ માં મોગલ ધામના મંદિરે દર્શનાર્થે જાય છે એ સૌ ભક્તો હસતા મોઢે ઘરે પરત ફરે છે. આજ દિન સુધી માં મોગલ એ લાખો માઈ ભક્તોને પરચા પણ બતાવ્યા છે.

એવામાં જ આજે આપણે એક એવા જ પરચા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.જેમાં સુરતથી એક યુવક પોતાની માનતા પૂરી કરવા માટે કચ્છમાં આવેલા એક કબરાઉ ધામમાં મોગલ ધામના મંદિરે આવી પહોંચ્યા એ યુવકનું કહેવું છે કે માં મોગલ નો મહિમા અપરંપાર રહ્યો છે તેથી જ માનતા પૂર્ણ થઇ. આપણે સૌ પરિચિત છીએ કે કચ્છમાં આવેલા એક કબરાઉ ધામમાં મોગલ ધામના મંદિરે મણીધર બાપુ પર સાક્ષાત બિરાજમાન છે.

ત્યારે એ યુવકે 10,000 રૂપિયાની માં મોગલની માનતા માની હતી એ પૂર્ણ થતાની સાથે જ અહીં આવી પહોંચ્યો હતો. ત્યારે મણીધર બાપુના આશીર્વાદ લીધા ત્યારે મણીધર બાપુ આશીર્વાદ આપતા પૂછ્યું કે બેટા શેની માનતા હતી. એ યુવકે હસતા મોઢે જવાબ આપ્યો કે તેની માનતા પૂરી થતાની સાથે જ એ સુરતથી પોતાની માનતા પૂરી કરવા માટે અહીં આવ્યો છે.

આ ઉપરાંત મણિધર બાપુએ યુવકની આશીર્વાદ આપ્યા અને સાથે કહ્યું કે માં મોગલ ની તારી 10 ગણી માનતા સ્વીકારી છે અને આ પૈસા તું તારી બહેનને આપજે માં મોગલ રાજી રાજી થશે અને અહીં આવેલા દરેક ભક્તના એક પણ રૂપિયો મંદિરમાં લેવામાં આવતો નથી. એટલું જ નહીં પરંતુ આ કોઈ ચમત્કાર ન માનતા માં મોગલ પર વિશ્વાસ રાખ્યો એ જ તમને ફળયો છે.

તેથી જ તો કહે છે કે માં મોગલ પર આસ્થા અને શ્રદ્ધા રાખો તો તમામ સમસ્યાઓ માત્ર માં મોગલના દર્શન માત્રથી દૂર થઈ જાય છે. એટલું જ નહીં પરંતુ સાંભળ્યો છે કે માં મોગલ ને કોઈ દાન ભેટ નહિ જરૂર નથી. એ તો માત્ર ભક્તો ના ભાવના ભૂખ્યા છે આ ઉપરાંત આ દુનિયાનો અંત આવે છે ત્યાંથી જ માં મોગલ ની શરૂઆત થઈ છે જય માં મોગલ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "માં મોગલની કૃપાથી સુરતના આ યુવકની માનતા પૂરી થઈ, માનતા પૂરી કરવા યુવક મોગલ ધામ પહોંચ્યો, ત્યારે મણીધર બાપુએ કહ્યું તારે બહેન છે…"

Leave a comment

Your email address will not be published.


*