જાફરાબાદ તાલુકાના બાલાનીવાવ ગામ નજીક એક બોલેરો કાર અને બુલેટ વચ્ચે ટક્કર થતા સર્જાયો અકસ્માત, બુલેટ ચાલકનું મૃત્યુ..

Published on: 6:36 pm, Tue, 18 January 22

ગુજરાત રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી અકસ્માતની સંખ્યા વધી રહી છે. ત્યારે અમરેલી જિલ્લાના રાજુલા જાફરાબાદ પંથકને જોડતા ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. ત્યારે આજરોજ બનેલી એક અકસ્માતની ઘટના સામે આવી છે.

મળતી માહિતી અનુસાર આ અકસ્માતમાં એક બુલેટ ચાલકનું મૃત્યુ થયું છે. મળતી માહિતી અનુસાર આ ઘટના જાફરાબાદ તાલુકાના બાલાનિવાવ નજીક બની છે. મળતી માહિતી અનુસાર અહી બોલેરો કાર અને બુલેટ વચ્ચે ટક્કર થતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો.

મળતી માહિતી અનુસાર બોલેરો કાર ચાલક રાજુલા તરફથી નાગેશ્રી તરફ જતી વખતે બાલાનિવાવ ગામ તરફ વળવા જતાં પાછળથી પુરપાટ ઝડપે આવતું એક બુલેટ બોલેરો માં ઘુસી ગયું હતું.

આ ઘટનામાં બુલેટ ચાલકનું ઘટનાસ્થળે મૃત્યુ થયું છે. જ્યારે અન્ય એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે. આ ઘટના બનતા જ ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. ઘટનાની જાણ કરતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી આવી હતી.

ત્યારબાદ મૃત્યુ પામેલા વ્યક્તિના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું. ઉપરાંત ઈજાગ્રસ્ત થયેલા વ્યક્તિને આસપાસના લોકો દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. મૃત્યુ થનાર અને ઇજાગ્રસ્ત થનાર વ્યક્તિ તળાજા વિસ્તારનું હોવાનું જાણવા મળી રહ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "જાફરાબાદ તાલુકાના બાલાનીવાવ ગામ નજીક એક બોલેરો કાર અને બુલેટ વચ્ચે ટક્કર થતા સર્જાયો અકસ્માત, બુલેટ ચાલકનું મૃત્યુ.."

Leave a comment

Your email address will not be published.


*