ધોરાજીમાં સાસરિયાઓના ત્રાસથી ભાઈની લાડકી બહેને ગળાફાંસો ખાઈ લીધો, મૃત્યુ પહેલા બહેને પોતાના ભાઈને મેસેજ કર્યો હતો કે…

Published on: 5:37 pm, Wed, 15 February 23

રાજકોટ જિલ્લાના ધોરાજીમાં બનેલી એક જીવ ટૂંકાવાની ઘટના સામે આવી રહી છે. અહીં ગત 12 ફેબ્રુઆરીના રોજ એક પરિણીત મહિલાએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટના બન્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલી મહિલાના ભાઈની ફરિયાદના આધારે પોલીસે મહિલાને મળવા મજબૂર કરવા અંગે તેના પતિ, સાસુ-સસરા, નણંદ-નણંદોયા સામે ગુનો નોંધ્યો છે.

સુસાઇડ કરતા પહેલા પોતાના ભાઈને મેસેજ કરીને તેના મોબાઈલ નો પાસવર્ડ મોકલી આપ્યો હતો. જેમાં મૃત્યુ પહેલાનો વિડીયો અને તેને કયા કારણોસર આ પગલું ભર્યું તેનો ઉલ્લેખ કર્યો હતો. મૃત્યુ પામેલી મહિલાનું નામ વૈશાલી હતું. વૈશાલીના લગ્ન મૂળ જામખંભાળિયાના કોઠા વિસોત્રી ગામના વતની અને હાલમાં ધોરાજીમાં જમનવડ રોડ ઉપર રહેતા પરબતભાઈ ગોજીયાના દીકરા અનિલ સાથે 2021માં થયા હતા.

લગ્નના પાંચ મહિના સુધી તો ઘરમાં બધું સરખું ચાલતું હતું. વૈશાલી જ્યારે પોતાના પિતાના ઘરે ગઈ ત્યારે તેના ઘરના સભ્યોને વાતચીત કરતા જણાવ્યું હતું કે, તેના સાસુ રાધા બહેન અને સસરા પરબતભાઈ બંને મને અવારનવાર રસોઈમાં રોટલી કેમ વધી..? શાક રોટલી બરોબર બનાવતી નથી તેમ કહીને મેણા ટોણા મારે છે. એટલું જ નહીં પરંતુ દર શનિ-રવિમાં નણંદ નિકિતા અને નણદોઈ પ્રવીણ ઘરે આવે છે અને મને મહેણા ટોણા મારે છે.

મારો પતિ અનિલ પણ મને દવાખાને લઈ જતો નથી. તે પણ અવારનવાર મારી પાસેથી પૈસા માગે છે અને મારે કોઈ ચીજવસ્તુ ખરીદી હોય તો તે પૈસા દેતો નથી અને મારી સાથે ઝઘડો કરે છે. દીકરીની બધી વાતો સાંભળીને માતા પિતાએ તેને સમજાવીને પરત સાસરિયામાં મોકલી હતી.

25 દિવસ પછી દીકરી જ્યારે ફરીથી પિતાના ઘરે આવી ત્યારે કહેતી હતી કે, તમારા સમજાવ્યા મુજબ હું બધું સહન કરી લઉં છું. પરંતુ મારા સાસુ સસરા અને નણંદ નણદોયા ત્રાસ આપવાનું બંધ નથી કરતા. પતિ પણ અવારનવાર કહે છે કે તું તારા પપ્પાના ઘરેથી પાંચ લાખ રૂપિયા લેતી આવ. નણંદ નિકિતા પણ કહે છે કે મને મારા પપ્પાએ 30 તોલા સોનું આપ્યું, તું પણ તારા પપ્પાના ઘરેથી સોનુ લેતી આવ.

મળતી માહિતી અનુસાર 12 તારીખ ના રોજ મૃત્યુ પામેલી વૈશાલીના ભાઈ અપીલની તબિયત સારી ન હતી. તેથી તે 8:30 વાગે ઘરે આવીને સૂઈ ગયો હતો. ત્યારે તેના ફોનમાં તેની બહેન વૈશાલીનો મેસેજ આવ્યો હતો. જેમાં તેને લખ્યું હતું કે ભાઈ મારા મોબાઈલનો લોક 5054 છે. તેથી ભાઈને શંકા ગઈ હતી એટલે તેને તરત જ પોતાની બહેન વૈશાલીને ફોન કર્યો હતો. પરંતુ તેની બહેન ફોન ઉપાડતી ન હતી. ફોન ના ઉપાડતા ભાઈને કંઈક શંકા ગઈ હતી. ત્યારબાદ ભાઈ પોતાના બનેવીને ફોન કર્યો હતો ત્યારે બનેવીએ કહ્યું હતું કે હું નીચે સૂતો છું અને વૈશાલી ઉપરની રૂમમાં સૂતી છે.

થોડીક વાર પછી બનેવી નો ફોન આવ્યો હતો કે વૈશાલી દરવાજો ખોલતી નથી. ત્યારબાદ જાણવા મળ્યું કે વૈશાલી એ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. મૃત્યુ પહેલા વૈશાલી એ પોતાના મોબાઈલ પર જીવ ટૂંકાવા પાછળનું કારણનો વિડીયો અને મેસેજ બનાવ્યા હતા. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને વિડિયો અને મેસેજ ના આધારે પોલીસ આગળની કાર્યવાહી કરશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ધોરાજીમાં સાસરિયાઓના ત્રાસથી ભાઈની લાડકી બહેને ગળાફાંસો ખાઈ લીધો, મૃત્યુ પહેલા બહેને પોતાના ભાઈને મેસેજ કર્યો હતો કે…"

Leave a comment

Your email address will not be published.


*