બોલીવુડની અભિનેત્રી “સારા અલીખાને” ગણપતિની કરી વિશેષ પૂજા,શેર કરી તસવીરો

આપણે સૌ લોકો જાણીએ છીએ કે હાલમાં સમગ્ર ભારતભર માં ગણેશ ચતુર્થી નો પાવન પર્વ ચાલી રહ્યો છે જેમાં વિઘ્નહર્તા ગજાનંદ ભગવાન ગણપતિ મહારાજ ના અલગ અલગ જગ્યાએ આગમન જોવા મળ્યા હતા અને આપણા સૌના ઘર આંગણે ગણપતિ મહારાજ પધાર્યા છે આ પાવન પર્વ નિમિત્તે ભારતના અલગ અલગ મંદિરોમાં પણ ગણેશ ચતુર્થીની ધામધૂમથી ઉજવણી જોવા મળી હતી. આવનારા દસ દિવસોમાં વિઘ્નહર્તા આપણા ઘર આંગણે બિરાજમાન થશે અને તમામ લોકોની મનોકામના પૂર્ણ થશે આ પર્વ નિમિત્તે અનેક જગ્યાએ મહાપૂજા મહા આરતી અને અલગ અલગ ધાર્મિક પ્રસંગોની ઉજવણી પણ જોવા મળી હતી. આ માહોલ વચ્ચે બોલીવુડના અનેક સિતારાઓ એ પણ ગણેશ ચતુર્થી ની ધામધૂમ થી ઉજવણી કરી ગણપતિ મહારાજની વિશેષ પૂજા કરી હતી જેની તસવીરો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે. હાલમાં બોલીવુડની અભિનેત્રી સારા અલીખાને ગણપતિ મહારાજ ની વિશેષ પૂજાની તસવીરો શેર કરી હતી.

વાયરલ તસવીરોમાં આપ જોઈ શકો છો કે સારા અલી ખાન ભારતીય પરંપરાગત પહેરવેશમાં ગણપતિદાદા સામે હાથ જોડી ઉભી છે. આ ખાસ પ્રસંગ માટે સારા અલીખાને ઓરેન્જ કુર્તીની પસંદગી કરી હતી. આ તસવીરોમાં સારા અલી ખાનનો બાપા પ્રત્યેનો સંપૂર્ણ ભક્તિ ભાવ શ્રદ્ધા વિશ્વાસ અને આસ્થા ખૂબ જ નજીકથી જોવા મળ્યા હતા તમામ લોકોએ સારા અલી ખાનના સંસ્કારો અને સાદગીના ખૂબ જ વખાણ કર્યા હતા. આપને જણાવી દઈએ કે સારા અલી ખાન અન્ય ધર્મ સાથે જોડાયેલી હોવા છતાં પણ દરેક તહેવારોની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરે છે.સારા અલી ખાન ઘણીવાર અનેક મંદિરોની મુલાકાત લેતી પણ જોવા મળે છે આ કારણથી જ આજે તેમના ખૂબ જ મોટી સંખ્યામાં ચાહકો રહેલા છે.

આ તસવીરોને અત્યાર સુધી 15 લાખ કરતા વધારે લાઇક અને કોમેન્ટ મળી ચૂકી છે કોમેન્ટ ના માધ્યમથી સારા અલી ખાનના ચાહકોએ ગણેશ ચતુર્થીના પાવન પર્વ નિમિત્તે શુભકામનાઓ શુભેચ્છાઓ અને આશીર્વાદ પાઠવ્યા હતા તથા સારા અલીખાને આ તસવીરો શેર કરતા ગણપતિ મહારાજના ચરણોમાં પ્રાર્થના કરી હતી તથા તમામ લોકોને ગણેશ ચતુર્થી ની શુભકામનાઓ પણ પાઠવી હતી. આપને જણાવી દઈએ કે તારા અલીખાને આ પહેલા પણ પોતાના ઘરે રક્ષાબંધનની પણ ઉજવણી કરી હતી જેમાં ભાઈ બહેન નો પવિત્ર પ્રેમ જોવા મળ્યો હતો.

આજના સમયમાં ભગવાનના આશીર્વાદને કારણે સારા અલી ખાન બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝ સૌથી સફળ અભિનેત્રી બની ચૂકી છે. તેણે અત્યાર સુધી અનેક સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે તેમના સર્વ શ્રેષ્ઠ અભિનયને કારણે સારા અલી ખાન દરેક લોકોના દિલમાં રાજ કરી રહી છે આજે પણ પોતાના સંસ્કૃતિ સંસ્કારો સભ્યતા અને સરળતા ને ક્યારે ભૂલી નથી આ કારણથી જ આજે તે ફિલ્મ ક્ષેત્રમાં સતત આગળ વધી સફળતાના તમામ શિખરો પ્રાપ્ત કરી રહી છે. હાલમાં તો ગણેશ ચતુર્થી ના પાવન પર્વ નિમિત્તે ભગવાન ગણેશના આશીર્વાદ પ્રાપ્ત કરી સારા અલીખાને ધન્યતાનો અનુભવ કર્યો હતો. આ ઉત્સવ સારા અલી ખાન અને તેમના ચાહકો માટે ખૂબ જ ખાસ પવિત્ર અને ધાર્મિક બની ગયો હતો.