જામનગરમાં 5 દિવસ પહેલા ગુમ થયેલા એસઆરપીના જવાનનું મૃતદેહ તળાવમાંથી મળી આવી, મૃત્યુનું કારણ અકબંધ – જાણો સમગ્ર ઘટના

Published on: 11:46 am, Fri, 22 April 22

હાલમાં જામનગરમાં બનેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જામનગર જિલ્લામાં કાનાલાસ વિસ્તારમાં ફરજ બજાવતા એસઆરપીના જવાનોને ગુમ થઈ ગયા હતા. ત્યારે ગઇકાલે પન્નાનેશ તળાવમાંથી તેમનો મૃતદેહ મળી આવતા ભારે અફરાતફરી મચી ગઇ હતી.

ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. મળતી માહિતી અનુસાર એસઆરપી જવાન તરીકે ફરજ બજાવતાં નિતિનભાઈ બાબુભાઈ ધુલિયા ગત 17 તારીખના રોજ રાત્રે ફરજ ઉપર હતા અને ત્યારબાદ અચાનક તેઓ ગુમ થઈ ગયા હતા.

મળતી માહિતી અનુસાર નીતિનભાઈ પોતાનો મોબાઈલ ફરજના સ્થળ પર છોડીને ચાલ્યા ગયા હતા. નીતિનભાઈ ગુમ થતાં જ પોલીસે તેમની શોધખોળ શરૂ કરી હતી. પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં તેમના ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી.

ત્યારે ગઇકાલે મોડી સાંજે પન્નાનેશ તળાવમાંથી નીતિનભાઈનું મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં મેધપર પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે અકસ્માત મૃત્યુ નો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

હાલમાં પોલીસ તપાસમાં કહેવામાં આવી રહ્યું છે કે, નીતિનભાઈ નું કોઈપણ કારણોસર તળાવમાં ડૂબી જવાના કારણે મૃત્યુ થયું હોય છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. નીતિનભાઈના મૃત્યુનું સાચું કારણ જાણી શકાયું નથી. તેમનું મૃત્યુ થતાં જ ભારે અફરાતફરી મચી ગઇ હતી. ઘટનાની જાણ પરિવારજનોને થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. પોલીસે મૃતદેહને પરિવારજનોને સોંપી દીધું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "જામનગરમાં 5 દિવસ પહેલા ગુમ થયેલા એસઆરપીના જવાનનું મૃતદેહ તળાવમાંથી મળી આવી, મૃત્યુનું કારણ અકબંધ – જાણો સમગ્ર ઘટના"

Leave a comment

Your email address will not be published.


*