સુરતમાં ભાજપના ગઢમાં પડ્યું ગાબડું, આ સમાજના યુવા અગ્રણી જોડાયા AAPમાં..

સુરતમાં મહાનગર પાલિકાની ચૂંટણીમાં આ વર્ષે આમ આદમી પાર્ટીની એન્ટ્રી થઈ હતી. મહાનગરપાલિકાની ચૂંટણીમાં 27 સીટ પર આમ આદમી પાર્ટી વિજય બની હતી. સુરતમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી થતાં જ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીને ખૂબ જ મોટો ઝટકો લાગ્યો હતો.

ભાજપના કાર્યકર્તાઓ અને ભાજપના નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાઇ રહ્યા છે. ત્યારે હવે કામરેજના નેતા વી ડી ઝાલાવાડીયા ગઢ માં પડ્યું ગાબડું. ભાજપના ભરવાડ સમાજના યુવા અગ્રણી રઘુભાઈ ગલાણી ભાજપથી નારાજ થઈને આમ આદમી પાર્ટીમાં જોડાયા.

સુરત શહેરના યુવા પ્રમુખ પંકજ ધામલીયા અને અજય ભાઈ દુધાત તથા ગુજરાત પ્રભારી શ્રી ગુલાબ સિંહ યાદવની અધ્યક્ષતામાં તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. તેના કારણે ભારતીય જનતા પાર્ટીની મોટો ઝટકો લાગ્યો છે.

આ ઉપરાંત તારવાડી વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી સાથે વર્ષોથી જોડાયેલા કાર્યકર્તાઓ જોડાયા છે. ઉપરાંત અડાજણ અને રાંદેર વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના 400 થી વધુ કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.

ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ધીરે ધીરે આમ આદમી પાર્ટીમાં જોડાઇ રહ્યા છે જેથી ભાજપનો ગઢ સુરતમાં નબળો પડી રહ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*