પાટીદાર મુખ્યમંત્રી ની ચર્ચા વચ્ચે ભાજપ કરશે આ કામ, આજે ભાજપ માટે મોટો દિવસ…

Published on: 10:55 am, Tue, 15 June 21

ગુજરાત રાજ્યમાં કોરોનાની બીજી લહેર દિવસેને દિવસે ઘટી રહી છે તો ગુજરાતમાં દિવસે દિવસે રાજકારણમાં હલચલ વધી રહી છે. દેશમાં 2022માં 6 રાજ્યની વિધાનસભાની ચૂંટણી થવાની છે. આ રાજ્યમાંથી ગુજરાત અને ઉત્તર પ્રદેશમાં ચૂંટણી એ ખૂબ જ મહત્વની છે.

ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસોથી રાજકારણમાં ઘણી ઊથલપાથલ થઈ રહી છે. તેઓમાં ગુજરાત રાજ્યમાં ભાજપ નો વિકલ્પ બનવા જઇ રહેલી આમ આદમી પાર્ટી ચૂંટણીની તૈયારી અત્યારથી જ ચાલુ કરી દીધી છે.

ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓના બેઠક ના દોરા શરૂ થઈ ગયા છે. આ ઉપરાંત પાટીદાર સમાજના અગ્રણીઓ પણ આગળ આવ્યા છે. અને તમામ અગ્રણીઓ એક થઈ ગયા છે.

તેવામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે એક નેતાઓ દ્વારા મોટી બેઠક યોજાવાની છે. આજે સાંજે ચાર વાગે વિધાનસભામાં ભાજપના બધા ધારાસભ્યોની બેઠક થવાની છે.

બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી સહિત અન્ય ઘણા નેતાઓ બેઠકમાં હાજર રહેશે. સુત્રો અનુસાર જાણવા મળ્યું છે કે આ બેઠકમાં ગુજરાત રાજ્યના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ પણ જોડાઈ શકે તેવી શક્યતા છે.

આ બેઠકમાં આવનારી વિધાનસભાની ચૂંટણી મુદ્દે અને કોરોનાવાયરસ ના ગ્રાઉન્ડ રિપોર્ટ અંગે ચર્ચા કરવામાં આવશે. આ બેઠકમાં ગુજરાતના ભાજપના તમામ ધારાસભ્યોને હાજર રહેવાનો આદેશ આપ્યો છે અને બેઠકમાં મુખ્ય ચર્ચા ગુજરાતમાં અરવિંદ કેજરીવાલની એન્ટ્રી મુદ્દે પણ ચર્ચા થશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "પાટીદાર મુખ્યમંત્રી ની ચર્ચા વચ્ચે ભાજપ કરશે આ કામ, આજે ભાજપ માટે મોટો દિવસ…"

Leave a comment

Your email address will not be published.


*