ભાજપ વાળા મુખ્યમંત્રી બદલવાનું બાનું શોધી રહ્યા છે, જાણો ગુજરાતના કયા દિગ્ગજ નેતાએ કરી ટિપ્પણી.

Published on: 10:25 am, Sun, 18 April 21

ગુજરાત રાજ્યમાં કોરોનાવાયરસ છે કાળો કહેર મચાવ્યો છે તેમાં પણ સુરત અને અમદાવાદની સ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે.ગુજરાત રાજ્યમાં કોરોના ની પરિસ્થિતિ ની વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 91 લોકોના સારવાર દરમિયાન મોત થયા છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં 5267 લોકોના મોત કોરોના ના કારણે થયા છે. ગઇકાલ કરતાં આજ રોજ કોરોના કેસ માં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસે ને દિવસે વધી રહ્યો છે.

રાજ્યમાં હાલ 304 લોકો વેન્ટીલેટર પર છે અને એક્ટિવ કેસનો આંકડો 55,398 પર પહોચ્યો છે. દેશમાં સૌથી વધારે એક્ટિવ કેસો ધરાવતા રાજ્યમાં ગુજરાત 10 માં સ્થાને છે.

પરેશ ધાનાણીએ ટ્વીટ કરીને લખ્યું કે, ખુરશી ની ધાણી, પ્રજા સલવાણી, હવે કાળ મુખા કોરોના સમગ્ર ગ્રામીણ ગુજરાતને ભરડો લીધો છે.

છતાંય,હાલ ઇન્જેક્શન-ઓક્સિજન-એમ્બ્યુલન્સ-લેબ-ડોક્ટર-વેન્ટિલેટર તથા દવાખાને ઊભી કરેલી ખાટલાની અછતથી, શું ગામેગામના મહાણે મોતનું તાંડવ રચી અને માત્ર મુખ્યમંત્રીને બદલવાનું બહાનું શોધી રહ્યું છે?

ગુજરાત રાજ્યના કોરોના ને લઈને સ્થિતિ ખૂબ ખરાબ છે ત્યારે વિપક્ષના નેતા પરેશ ધાનાણી એ રાજ્યની પરિસ્થિતિ જોતા અને સરકારને નિશાને લેતા.

ટ્વીટ કરીને એક કવિતા લખી છે. જેમાં તેઓએ લખ્યું છે કે રાજ્યમાં મુખ્ય મંત્રીને બદલવાનું બહાનું શોધી રહ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ભાજપ વાળા મુખ્યમંત્રી બદલવાનું બાનું શોધી રહ્યા છે, જાણો ગુજરાતના કયા દિગ્ગજ નેતાએ કરી ટિપ્પણી."

Leave a comment

Your email address will not be published.


*