જન્મદિવસ બની ગયો મૃત્યુનો દિવસ…! જન્મદિવસની ઉજવણી કરીને પરત ફરતા પરિવારને રસ્તામાં નડ્યો અકસ્માત, એક જ પરિવારના 5 સભ્યોના કરુણ મૃત્યુ…

Published on: 5:02 pm, Wed, 20 July 22

સમગ્ર દેશભરમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે મંગળવારના રોજ રાત્રે બનેલી એક ભયાનક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં એક જ પરિવારના પાંચ સભ્યોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મળતી માહિતી અનુસાર રેતી થી ભરેલો એક ટ્રક બેકાબુ થઈને એક કાર ઉપર પલટી ખાઈ ગયો હતો.

જેના કારણે કારમાં સવારે એક જ પરિવારના પાંચ સભ્યોના કરુણ મૃત્યુ થયા હતા, ઉપરાંત ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં મૃતકોમાં પતિ-પત્ની, બે બાળકોનો સમાવેશ થાય છે. આ ઘટના બની તે દિવસે મૃત્યુ પામેલા બે બાળકોમાંથી એક બાળકનો જન્મ દિવસ હતો. મળતી માહિતી અનુસાર પરિવાર ઢાબા પર કેક કાપીને પરત ફરી રહ્યું હતું.

ત્યારે તેમને રસ્તામાં ગંભીર અકસ્માત નડ્યો હતો. આ ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહને માટે મોકલવામાં આવ્યા હતા અને ઇજાગ્રસ્ત થયેલા લોકોને હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. અકસ્માતની ઘટનાની જાણ થતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી.

આ ગંભીર અકસ્માતની ઘટના લખનઉ-પ્રયાગરાજ હાઇવે ઉપર મંગળવારના રોજ રાત્રિના સમયે બની હતી. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો, 45 વર્ષે રાકેશ અગ્રવાલના છ વર્ષના દીકરા રેયાંશનો મંગળવારના રોજ જન્મદિવસ હતો. તેથી રાકેશભાઈ પોતાની સોનમ, 6 વર્ષીય દીકરો રેયાંશ, 9 વર્ષીય દીકરી રહસા ઢાબા પર જમવા માટે ગયા હતા.

રાકેશભાઈની સાથે તેમનો નાનો ભાઈ રચિત અગ્રવાલ અને તેની પત્ની રુચિકા અગ્રવાલ અને તેમના બાળકો આદિત્ય અને તાનસી પણ હતા. તમામ લોકો ભોજન કર્યા બાદ ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં એક બેકાબુ ટ્રક તેમની કાર ઉપર પલટી ખાઈ ગયો હતો. જેના કારણે આખું પરિવાર કારની નીચે દબાઈ ગયું હતું.

ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ઉપરાંત પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા તમામ લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં હાજર ડોક્ટરે પાંચ લોકોને મૃત જાહેર કર્યા હતા.

મૃતકોમાં રાકેશ અગ્રવાલ, તેમની પત્ની સોનમ અગ્રવાલ, તેમનો 6 વર્ષનો દીકરો રેયાંશ, તેમની 9 વર્ષની દીકરી રહસા અને રીચીત અગ્રવાલની પત્ની રીચિકાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત રીત અગ્રવાલ અને તેમના બંને બાળકો ઇજાગ્રસ્ત થયા હતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના બનતા જ મૃતકોના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "જન્મદિવસ બની ગયો મૃત્યુનો દિવસ…! જન્મદિવસની ઉજવણી કરીને પરત ફરતા પરિવારને રસ્તામાં નડ્યો અકસ્માત, એક જ પરિવારના 5 સભ્યોના કરુણ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*