ગુજરાત રાજ્ય વકરી રહેલી કોરોના સંક્રમણ ની પરિસ્થિતિ વચ્ચે રાજ્યની રૂપાણી સરકારનું વધુ એક વાર લોકડાઉન ને લઈને મહત્વનું નિવેદન સામે આવ્યું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી સરકારે ગુજરાત ની એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું કેે.
ગુજરાત લોકડાઉન નહિ લાગે અને જરૂરિયાત મુજબ વેપારીઓએ સ્વયંભૂ કામકાજના સમય નક્કી કરી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી કોરોનાવાયરસ નું સંક્રમણ સતત વધી રહ્યું છે.
ત્યારે ગામડાઓમાં લોકો સ્વેચ્છિક લોકડાઉન લગાવી રહ્યા છે. રાજ્યમાં હવે કોરોના સંક્રમણ ના કેસ 6 હજાર ને પાર પહોંચી ગયા છે.
રાજ્યમાં કોરોના સંક્રમણ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. રાજ્યમાં કોરોના સંક્રમણ અટકાવવા અને કોરોનાની ચેન તોડવા 15 દિવસ માટે લોકડાઉન જરૂરી હોય તેવું નિવેદન AMA ના પ્રમુખે આપ્યું હતું.
સોમવારના રોજ છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સૌથી વધુ 6021 નવા કેસ નોંધાયા હતા જ્યારે વધુ 55 લોકોના મૃત્યુ થયા હતા. ગઈકાલે નોંધાયેલા કેસ અત્યાર સુધીમાં એક દિવસમાં નોંધાયેલા સૌથી વધારે કેસ છે.
રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4855 પર પહોંચ્યો છે. રાજ્યમાં ગઈકાલે 2854 લોકોએ કોરોનાને મહાત આપી છે. તેની સાથે અત્યાર સુધીમાં 3,17,981 લોકો ડિસ્ચાર્જ થયા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment on "ગુજરાત રાજ્યમાં લોકડાઉન લાદવા મુદ્દે રાજ્યની રૂપાણી સરકારનું મોટું નિવેદન, જાણો તેઓએ શું કહ્યુ ?"