કોરોના ને લઈને ગુજરાત માટે આવ્યા મોટા રાહતના સમાચાર, જાણો વિગતે.

Published on: 9:47 pm, Sat, 9 January 21

ગુજરાત રાજ્યમાં કોરોના નું સંક્રમણ ખૂબ જ ઝડપથી ઘટી રહ્યું છે. દિવસેને દિવસે ગુજરાત રાજ્યમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. આજ પણ 700 થી પણ ઓછા કેસ સામે આવ્યા છે.દૈનિક કેસોની સંખ્યા ઘટવા સામે સાજા થતા દર્દીઓની સંખ્યા વધી રહી છે.જે સમગ્ર ગુજરાત રાજ્ય માટે મોટા રાહતના સમાચાર છે.

800 થી વધુ દર્દીઓ કોરોના ની મહાત આપી છે.રિકવરી રેટ 95.10 નોંધાયો છે. રાહતની વાત એ છે કે, એક્ટિવ કેસની સંખ્યા પણ ઘટી ને 7968 થઈ છે.છેલ્લા 24 કલાક માં રાજ્યમાં પોઝિટિવ નવા 675 કેસ નોંધાયા છે.

અને 5 દર્દીના મૃત્યુ થયા છે.જયારે 851 દર્દીઓ સાજા થયા છે.અત્યાર સુધી માં 2,38,965 લોકોએ કોરોના ને મહાત આપી.રાજ્યમાં ફૂલ 59 દર્દીઓ વેન્ટિલેટર પર છે.જયારે 7909 દર્દીઓ સ્ટેબળ છે.અમદાવાદમાં 129, સુરતમાં 123.

વડોદરામાં 121, રાજકોટમાં 90  જૂનાગઢમાં 22, જામનગરમાં 20, મહેસાણામાં 17, કચ્છમાં 16, ગાંધીનગરમાં 14, ગીર સોમનાથ માં 13,દાહોદ ખેડા 12, પંચમહાલ 10, બનાસકાંઠા અને નર્મદા 9, આણંદ મોરબી સાબરકાંઠા 7, ભરૂચ ભાવનગર 5, પાટણ 4.

બોટાદ મહીસાગર તાપી 3, અમરેલી ડાંગ દેવભૂમિ દ્વારકા સુરેન્દ્રનગર વલસાડ 2, અરવલ્લી છોટે ઉદયપુર નવસારી પોરબંદર 1 કેસો નોંધાયા હતા.કોરોના ને લઈને ગુજરાત માટે આવ્યા મોટા રાહતના સમાચાર.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "કોરોના ને લઈને ગુજરાત માટે આવ્યા મોટા રાહતના સમાચાર, જાણો વિગતે."

Leave a comment

Your email address will not be published.


*