નવરાત્રી ને લઈને ગરબા રસિકો માટે આવ્યા મોટા નિરાશાજનક સમાચાર,હવે સરકાર મંજુરી આપશે તો પણ નહિ થાય

Published on: 10:39 am, Wed, 22 September 21

નવરાત્રિના એક મહિના પહેલા જ ખેલૈયાઓ તેમજ સંચાલકો નવરાત્રિની તૈયારીઓમાં લાગી જતા હોય છે. ગુજરાતીઓ પોતાના સૌથી મોટા તહેવાર નવરાત્રી ની મંજૂરી મળશે કે નહીં તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે પરંતુ આ વર્ષે કોરોના મહામારી ના પગલે તમામ ની ખુશીઓ પર ગ્રહણ લાગી ગયું છે.

મળતી જાણકારી મુજબ, સતત બીજા વર્ષે પણ ગરબા થી વંચિત રહેવું પડશે. જે આ વર્ષે પણ મોટા આયોજકો ગરબા આયોજન કરી શકશે નહીં. હાલમાં દેશમાં કોરોના ની સંભવીત ત્રીજી લહેર ને લઈને આ વર્ષે પણ ગરબામાં સામાજિક અંતર શક્ય નહીં હોવાનું આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું છે

અને ખેલૈયાઓ સાથે નું આયોજન પણ પોસાય તેમ નથી. નવરાત્રી મહોત્સવ ઉજવણી બાબતે મહત્વના અને મોટા સમાચાર સામે આવ્યા છે.આ મામલે આયોજકોએ જણાવ્યું કે, માસ્ક સાથે ગરબા થઈ શકે નહિ અને મોટા મેદાનમાં ઓછા ક્રાઉડ સાથે નું આયોજન મોંઘું પડે છે.

હાલના સમય પ્રમાણે દેશમાં કોરોના ની ત્રીજી લહેર ની આશંકા જણાઈ રહી છે ત્યારે આ ત્રીજી લહેર ના આગમન પૂર્વે કોઈપણ રિસ્ક લેવા માંગતા નથી. નોંધનીય છે કે ગયા વર્ષે નવરાત્રિ દરમ્યાન જાહેરમાં ખુલ્લી જગ્યાએ ગરબી કે મૂર્તિની સ્થાપના અને પૂજા આરતી કરવા માટે છુટ આપવામાં આવી હતી અને 20 થી વધુ લોકોને ભેગા ન થવા માટે પણ સ્પષ્ટપણે જણાવાયું હતું ત્યારે આ વખતે પણ આ પ્રમાણે આયોજન કરવામાં આવી શકે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "નવરાત્રી ને લઈને ગરબા રસિકો માટે આવ્યા મોટા નિરાશાજનક સમાચાર,હવે સરકાર મંજુરી આપશે તો પણ નહિ થાય"

Leave a comment

Your email address will not be published.


*