રાશનકાર્ડ ધારકો માટે અત્યંત મહત્વના સમાચાર,સરકારી દુકાનોમાંથી રાશન લેવાના નિયમોમાં થયો મોટો ફેરફાર,જાણવું જરૂરી

Published on: 10:18 am, Mon, 18 October 21

રાશન કાર્ડ ના લાભાર્થી માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે.ખાધ અને જાહેર વિતરણ વિભાગે રાશનકાર્ડ નિયમોમાં ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે. ખરેખર સરકારી રાશનની દુકાનોમાંથી રાશન લેતા પાત્ર લોકો માટે નક્કી કરેલા ધોરણો માં ફેરફાર કરી રહ્યા છે.નવા ધોરણનો ડ્રાફ્ટ હવે લગભગ તૈયાર છે.

ખાધ અને જાહેર વિતરણ વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં દેશભરમાં 80 કરોડ લોકો નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ નો લાભ લઇ રહ્યા છે. તેમની વચ્ચે એવા ઘણા લોકો છે જે આર્થિક રીતે સમૃદ્ધ છે.આને ધ્યાનમાં રાખીને જાહેર વિતરણ મંત્રાલય ધોરણોમાં ફેરફાર કરવા જઈ રહ્યું છે.

ખાધ અને જાહેર વિતરણ વિભાગના સચિવ સુંધાશું પાંડે જણાવ્યું કે, છેલ્લા છ મહિનાથી ધોરણમાં ફેરફારને લઇને રાજ્યો સાથે બેઠક યોજાઇ રહી છે. રાજ્ય દ્વારા આપવામાં આવેલા સૂચનોને સમાવેશ કરીને, પાત્રો માટે નવા ધોરણો તૈયાર કરવામાં આવી રહ્યા છે.

આ ધોરણો ને ટૂંક સમયમાં અંતિમ સ્વરૂપ આપવામાં આવશે.નવા ધોરણના અમલ પછી ફક્ત પાત્ર વ્યક્તિઓને જ લાભ મળશે,અયોગ્ય લોકો લાભ મેળવી શકશે નહીં. આ ફેરફાર જરૂરિયાત મંદ લોકો ને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "રાશનકાર્ડ ધારકો માટે અત્યંત મહત્વના સમાચાર,સરકારી દુકાનોમાંથી રાશન લેવાના નિયમોમાં થયો મોટો ફેરફાર,જાણવું જરૂરી"

Leave a comment

Your email address will not be published.


*