વેપારી સંગઠનની મોટી જાહેરાત : સૌરાષ્ટ્રના આ શહેરમાં જાહેર કરાયું સ્વેચ્છિક લોકડાઉન.

Published on: 3:13 pm, Sat, 3 April 21

ગુજરાત રાજ્યમાં કોરોનાવાયરસ ના કેસો એ સમગ્ર રેકોર્ડ તોડી નાખ્યા છે. રાજ્યના મહાનગરોમાંથી દિવસે ને દિવસે કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. સૌરાષ્ટ્રમાં કોરોના વાયરસનું સંક્રમણ એટલી ઝડપથી વધી રહ્યું છે.

કે મોરબીમાં અડધા દિવસનું સ્વેચ્છિક લોકડાઉન લગાવવાની જાહેરાત કરવામાં આવી છે.કોરોનાવાયરસ ના વધતા કેસને જોતા મોરબીમાં સોમવારથી અડધા દિવસનું લોકડાઉન લગાવવાની જાહેરાત કરવામાં આવી છે.

રાજ્ય સહિત મોરબીમાં કોરોનાવાયરસ ના કેસ વધતા વેપારી એસોસિયેશન દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.વેપારીઓના જુદા જુદા સંગઠનો.

અને સંઘો દ્વારા આજના દિવસના લોકડાઉન ને સમર્થન આપવામાં આવ્યું છે.ગુજરાતમાં કોરોના ના કેસો આજદિન સુધીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે.

અને છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 2640 કેસ નોંધાયા છે તો છેલ્લા 24 કલાકમાં ફૂલ 11 લોકોના મોત થયા છે.જેમાં અમદાવાદ સુરત અને રાજકોટમાં 3-3 લોકોના મોત થયા છે જ્યારે ભરૂચ અને વડોદરા માં એક દર્દીનું મોત થઈ ગયું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "વેપારી સંગઠનની મોટી જાહેરાત : સૌરાષ્ટ્રના આ શહેરમાં જાહેર કરાયું સ્વેચ્છિક લોકડાઉન."

Leave a comment

Your email address will not be published.


*